સાંભળવવા આ સમસ્યા નોરમલ લાગે છે પરંતુ આ બીમારીથી પીડીત લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આ સમસ્યાને અવગળવી ભારે પડી શકે છે.
બિનઆરોગ્યપ્રદ, વધારે તળેલા ખોરાક ખાવાથી અને ખરાબ જીવનશૈલીને કારણે કબજિયાત થાય છે. ઘણીવાર કેટલીક દવાઓના કારણે પણ આ સમસ્યા થાય છે.
સ્વાદથી ભરપૂર મીઠી ખજૂર દરરોજ ખાવાથી કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે.
કબજિયાતથી છુટકારો મેળવવા માટે ખજૂરને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે ખાવ આનાથી ઘણા ફાયદા થશે
કબજિયાતથી પીડાતા લોકોએ દારૂ પીવાનું, તળેલા મસાલેદાર ખોરાક, પ્રોસેસ્ડ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
કબજિયાતથી બચવા માટે જમવાનો યોગ્ય સમય નક્કી કરો. સૂતા પહેલા ઓછામાં ઓછા બે કલાક પહેલાં જમી લો અને ચાલવાની ટેવ પાડો.
ખજૂર પોષક તત્વોની ભરપૂર હોય છે. આ તમને મુક્ત રેડિકલથી બચાવે છે અને ખજૂર ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવા અને હાડકાંને મજબૂત કરવામાં પણ અસરકારક છે.