મસૂરની દાળ પોષક તત્વોથી ભરપુર હોય છે. જેમાં ફાઈબર, પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને કેલેરી ઘટાડે છે. એવામાં આ દાળ વજન ઘટાડવા સાથે જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ તેને ખાવાની યોગ્ય રીત..
મસૂરની દાળ ખાતા પહેલા તેને થોડા કલાક માટે પલાળીને રાખવી જોઈએ. જેનાથી મસૂરની દાળમાં મળનારા ફાઈબરની માત્રા વધી જાય છે અને તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
મસૂરની દાળ ખાધા પછી વ્યક્તિએ વધારે પાણી પીવું જોઈએ. જેથી શરીરનું ટૉક્સિન બહાર નીકાળી શકાય. મસૂરની દાળને કાયમ ધીમી આંચ પર જ રાંધવી જોઈએ. જેથી દાળમાં રહેલ પોષક તત્વોને નુક્સાન ના થાય.
મસૂરની દાળ બનાવતી વખતે ઓછામાં ઓછા તેલનો ઉપયોગ કરો. જેનાથી તમને વજન ઘટાડવામાં મદદ મળશે.
મસૂરની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોઈ શકે છે. જે વજન ઘટાડવા સાથે જ ડાયાબિટીશ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. મસૂરની દાળ ખાવાથી વ્યક્તિની ઈમ્યૂનિટી પણ વધી શકે છે.