આજની ખરાબ જીવનશૈલીના કારણે ડિપ્રેશન એક સામાન્ય બાબત બની ગઈ છે. કામ અથવા આસપાસના વાતાવરણને કારણે ચિંતા અને તણાવ નોંધપાત્ર રીતે વધે છે. આ માટે તમે તમારી જીવનશૈલીમાં કેટલીક સ્વસ્થ આદતો અપનાવી શકો છો. આવો જાણીએ.
માનસિક સ્વાસ્થ્ય માટે તમારી જાતને સકારાત્મક રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા તણાવને ઘટાડવા માટે તમે તમારી દિનચર્યામાં ઘણી સ્વસ્થ ટેવોનો સમાવેશ કરી શકો છો.
શારીરિક કસરત તમારા મૂડને ફ્રેશ રાખવામાં મદદ કરે છે. તેનાથી તમારા શરીરમાં હેપ્પી હોર્મોન્સ રીલીઝ થાય છે જે તણાવ ઓછો કરે છે.
સ્વસ્થ શરીર અને મન બંને માટે હેલ્દી આહાર જરૂરી છે. તેથી તમારા આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ. તે તમને માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે.
સમયસર ખોરાક લીધા પછી પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે આપણે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.
ઘણીવાર આપણે સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરીએ છીએ. મોબાઈલ અને લેપટોપનો વધુ પડતો ઉપયોગ આપણા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે.
વ્યસ્ત જીવનને કારણે આપણે ઘણીવાર કુટુંબ અથવા મિત્રો સાથે ઓછો સમય પસાર કરીએ છીએ. તેથી તમારા પરિવાર અને મિત્રો સાથે વધુ સમય પસાર કરો અને તેમની સાથે વસ્તુઓ શેર કરો.
જીવનમાં નાના-નાના ધ્યેયો બનાવો અને તેને ધીરે ધીરે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. તે પૂર્ણ થાય ત્યારે આનંદ થાય છે અને જીવન જીવવામાં આનંદ આવે છે.
આ આદતોને જીવનશૈલીમાં સામેલ કરીને ડિપ્રેશનને દૂર રાખી શકાય છે આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.