ખાધા પછી તરત ઊલટી આવતી હોય તો તેને નજરઅંદાજ ના કરશો, હોઈ શકે છે આ સમસ્યા


By Sanket M Parekh2023-05-04, 16:12 ISTgujaratijagran.com

એસિડિટી

પેટમાં એસિડીટીની સમસ્યા થવાના કારણે પણ ખાધા બાદ તરત જ ઊલટી થઈ શકે છે. જ્યારે અનેક વખત ખોટા ફૂડ્સનું સેવન કરવાના કારણે પણ ખાધા બાદ વૉમિટ થઈ શકે છે.

કમળો

ખાવાનું ખાઈ લીધા પછી તરત ઊલટી આવવાનું કારણ કમળો પણ હોઈ શકે છે. કમળામાં પાચન શક્તિ નબળી પડી જવાથી ઊલટી થઈ શકે છે. આથી ઊલટી થવા સાથે શરીરમાં પીળાશ દેખાય તો ટેસ્ટ કરાવવો જોઈએ.

ઈન્ફેક્શન

જો તમારા પેટમાં ઈન્ફેક્શન થઈ ગયું હોય, તો તમને ખાધા બાદ તરત ઊલટી થઈ શકે છે. સંક્રમણના કારણે ઊલટી આવવા સાથે પેટમાં દુખાવો પણ થાય છે.

અલ્સર

ખાધાના તરત બાદ ઊલટી આવવાનું કારણ પેટમાં અલ્સર પણ હોઈ શકે છે. પેટમાં ચાંદા પડવાના કારણે પણ તમને ખાઈ લીધા પછી તરત જ વૉમિટની સમસ્યા થઈ શકે છે.

ખરાબ લિવર

લિવરમાં ખરાબીના કારણે પણ ખાધા પછી તરત જ ઊલટી થઈ શકે છે. આથી જો તમને વારંવાર આવી સમસ્યા રહે, તો તેને નજરઅંદાજ કર્યાં વિના તબીબની સલાહ લેવી જોઈએ.

રાતના સૂતા પહેલા નિયમિત ગોળ ખાવ, આ ચમત્કારિક ફાયદા થશે