ઈલાયચી વાળું દૂધ શરીરની શક્તિ વધારશે, સ્વાસ્થ્ય સબંધી અનેક સમસ્યાઓ કરશે દૂર


By Sanket M Parekh03, Aug 2023 04:37 PMgujaratijagran.com

ઈલાયચી

ઈલાયચીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ મળી આવે છે. જેનું સેવન કરવાથી શરીરને અનકે પ્રકારના ફાયદા મળે છે. તો ચાલો જાણીએ દૂધમાં ઈલાયચી મિક્સ કરીને પીવાથી ક્યા-ક્યા ફાયદા થાય છે?

દૂધ

દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેમાં ઈલાયચી મિક્સ કરીને પીવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.

ભૂખ લાગવી

જો તમને ભૂખ ના લાગવાની સમસ્યા થઈ રહી હોય, તો દૂધમાં ઈલાયચીમાં મિક્સ કરીને પીવું જોઈએ. આ દૂધ તમારે દરરોજ રાતે સૂતા સમયે પીવું જોઈએ.

શરદી-ઉધરસમાં રાહત

દૂધમાં ઈલાયચી મિક્સ કરીને પીવાથી શરદી-ખાંસીમાં રાહત મળે છે. જેમાં રહેલ ગુણ શરદી-ઉધરસને દૂર કરવામાં મદદ કરે છે.

અનિંદ્રા

જો તમને અનિંદ્રાની સમસ્યા હોય, તો દૂધમાં ઈલાયચી મિક્સ કરીને પીવાથી આરામ મળે છે. આમ કરવાથી ગાઢ ઊંઘ આવે છે.

તણાવથી મુક્તિ

જો તમે મોડા સુધી કામ કરવા અથવા કઈ વિચારવાના કારણે તણાવથી પીડાતા હોવ, તો તેનાથી બચવા માટે ઈલાયચી વાળુ દૂધ પીવું જોઈએ.

પાચન

દૂધમાં ઈલાયચી મિક્સ કરીને પીવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. જે પાચન સાથે સંકળાયેલી સમસ્યા જેમ કે એસિડિટી અને અપચાને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

મજબૂત હાડકા

દૂધમાં કેલ્શિયમનું પુષ્કળ પ્રમણ હોય છે. જેમાં ઈલાયચી મિક્સ કરીને પીવાથી હાડકા મજબૂત બને છે. જેનું નિયમિત સેવન કરવાથી હાડકાનો દુખાવો પણ દૂર થાય છે.

વાસી મોંઢે પાણી પીવાથી સ્વાસ્થ્યને થશે ગજબ ફાયદા, શરીરને આ સમસ્યામાંથી મળશે છૂટકારો