પેશાબમા થાય છે બળતરા? આ ઉપાય અપનાવો


By Prince Solanki01, Jan 2024 12:50 PMgujaratijagran.com

પેશાબમા બળતરા

ઘણીવાર પુરુષ અને મહિલાઓ બન્નેને પેશાબમા બળતરાની સમસ્યા થતી હોય છે. સામાન્ય રીતે આ સમસ્યામા સૌથી પહેલા ડોક્ટર પાસે જવુ જોઈએ, પરંતુ કેટલાક ઘરેલૂ ઉપાયથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

પૂરતા પ્રમાણમા પાણી પીઓ

જો તમને પેશાબમા બળતરા થતી હોય તો સૌથી પહેલા તમારે વધારે માત્રામા પાણી પીવુ જોઈએ. ક્યારેક બળતરાનુ કારણ ડિહાઈડ્રેશન પણ હોય શકે છે. જેથી પોતાને હાઈડ્રેટ રાખો.

નારિયેળ પાણી

પેશાબમા થતી બળતરાના કારણે તમે નારિયેળ પાણીનુ સેવન કરી શકો છો. તેમા ઈલેક્ટ્રોલાઈટ અને સોડિયમની સારી એવી માત્રા હોય છે.નારિયેળ પાણી પીવાથી પીએચના લેવલને સુધારી શકાય છે.

લીંબુ પાણી

લીંબુ પાણીના કારણે તમે પેશાબમા થતી બળતરાથી છૂટકારો મેળવી શકો છો. લીંબુમા એંટી બેક્ટેરિયલ ગુણ અને વિટામિન સી સારી એવી માત્રામા હોય છે. તે પીએચ લેવલને નિયંત્રણ કરે છે.

ગોળ

ગોળમા એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે. એવામા જો તમે ગોળની સાથે ગરમ પાણી પીઓ છો તો તે શરીરમા રહેલા ખરાબ બેક્ટેરિયાને બહાર નીકાળે છે. જેનાથી પેશાબની બળતરાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

આંબળા જ્યૂસ

આંબળાનો જ્યૂસ સુપરફૂડની જેમ કામ કરે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવાનુ કામ કરે છે. આંબળાના સેવનથી પેશાબની બળતરાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

ચોખાનુ પાણી

પેશાબમા થતી બળતરાથી રાહત મેળવવા માટે તમે ચોખાના પાણીનુ સેવન કરી શકો છો. ચોખાનુ પાણી બનાવવા માટે તમારે ચોખાને પાણીમા પલાળીને થોડીવાર માટે રાખવા પડશે.

એપ્પલ સાઈડર વિનેગર

એપ્પલ સાઈડર વિનેગર પેશાબમા થતી બળતરામાથી રાહત આપે છે. તેમા ઘણા એંટી ફંગલ અને એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે, તે બેક્ટેરિયા અને ફંગસને ખતમ કરવાનુ કામ કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

યુરીક એસિડ રહેશે નિયંત્રણમા, આ રીતે કરો લીમડાના પત્તાનુ સેવન