ડુંગળીથી કંટ્રોલમાં આવી શકે છે Blood Sugar, જાણો તેના ફાયદા


By Hariom Sharma27, Jun 2023 08:41 PMgujaratijagran.com

ડુંગળીના ફાયદા

ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, શુગરનાં દર્દીઓ માટે ખૂબ જ ગુણકારી હોય છે.

બ્લડ શુગરમાં ફાયદાકારક

નવી શોધ પ્રમાણે ડુંગળીના સેવનથી ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસ દર્દીઓમાં બ્લડ શુગર લેવલ ઓછું થાય છે.

કંટ્રોલ રહેશે શુગર

ડુંગળીમાં ફ્લેવોનોઇડ્સ, એન્ટિઓક્સિડેન્ટ રહેલાં છે, જે બ્લડ શુગરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.

ફાયબરનો સારો સ્ત્રોત

લાલ ડુંગળી ફાયબરથી ભરપૂર હોય છે. આ ફાયબર બ્લડમાં શુગરને ધીમી ગતીએ પહોંચાડે છે.

લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ

કાચી ડુંગળીનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ 10 છે, આ કારણથી તેને ડાયાબિટીક દર્દીઓ માટે ગુણકારી ફૂડ ગણવામાં આવે છે.

કાર્બ્સ ઓછું હોય છે

ડાયાબિટીસના દર્દીઓને લો કાર્બ ફૂડ ખાવાની સલાહ આપવામાં આવે છે, અને ડુંગળીમાં કાર્બોહાઇડ્રેટ ખૂબ જ ઓછું હોય છે.

કબજિયાતમાં પણ રાહત

ડુંગળીમાં રહેલું ફાયબર કબજિયાતમાં પણ રાહત આપે છે, જે ડાયાબિટીક દર્દીઓમાં એક સામાન્ય વાત છે

ખાલી પેટ કેળુ ખાવાની ભૂલ કદાપી ના કરશો, સ્વાસ્થ્યને થઈ શકે છે નુક્સાન