ભારતીય મસાલાઓમાં કાળા મરીનો સમાવેશ થાય છે.રસોડામાં રહેલ આ કાળી મરી ઘણા ઔસધીય ગુણો પણ છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકરક છે.
બગડતી જીવનશૈલીને કારણે દરેક વ્યક્તિનું શરીર પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં કાળા મરી તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરશે.
કાળા મરીને પીસીને તેનો પાવડર તૈયાર કરો. ત્યારબાદ શરીરની જરૂરીયાત મુજબ તેનું સેવન કરો. સામાન્ય રીતે ત્રણ ચમચી કાળા મરી ફાયદાકરક છે.
દાંતની સમસ્યાઓથી રાહત મેળવવા માટે કાળા મરીનું સેવન કરવામાં આવે છે.તેનાથી પેઢાના દુખાવામાં ઘણી રાહત મળે છે.
જો તમને પેટના દુખાવાની સમસ્યા હોય તો રોજ સવારે ત્રણ ચમચી પીસેલા કાળા મરીનું સેવન કરો. તમે તેમા મધ પણ ઉમેરી શકો છો.
આજના સમયમાં દરેક વ્યક્તિ પિમ્પલ્સથી પરેશાન છે.પિમ્પલ્સથી રાહત મેળવવા માટે કાળા મરી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.તમે કાળા મરી પીસીને પિમ્પલ્સ હોય તે જગ્યા પર લગાવી શકો છો.
કાળા મરીના પાઉડરનું સેવન કરવાથી પેટના કૃમિની સમસ્યા પણ દૂર થાય છે. તમે કાળા મરીની સાથે કિસમિસ પણ ખાઈ શકો છો.
કાળા મરીમાં રહેલ વિટામિન સી, વિટામિન એ, મહિલાઓના સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે. તેથી જ તેનું પણ સેવન કરવામાં આવે છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.