ભાવનગર જઈ રહ્યા હોવ તો આ સ્થળોની મુલાકાત લેવાનું ન ભુલતા


By Smith Taral05, Sep 2024 03:51 PMgujaratijagran.com

ભાવનગર ગુજરાતનું એક સુંદર શહેર છે, અહીં આવેલા ઐતિહાસિક સ્થળો અને કુદરતી સુંદરતા મનમોહી લે તેવી છે. આવો જાણીએ ભાવનગરના ફરવાલાયક સ્થળો વિશે

નીલમબાગ પેલેસ

આ ભવ્ય પેલેસ રજવાડા સમયનો ઈતિહાસ ઉજાગર કરે છે અને તેની સુંદર સ્થાપત્યકલા તમારુ મનમોહક છે.

ગૌરીશંકર તળાળ

વિક્ટોરિયા નેચર પાર્કની વચ્ચે આવેલું આ તળાવમાં તમે હળવાશની પળો માણી શકો છો. ત્યાનું સુંદર વાતાવરણ તમારા મનને શાંતી અને આરામ આપશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર

આ મંદિર, જેને 'અક્ષરવાડી મંદિર' તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીં ભગવાનના દર્શન સાથે આધ્યાત્મિક અનુભવ કરી શકો છો

તખ્તેશ્વર મંદિર

ભગવાન શિવને સમર્પિત આ પવિત્ર મંદિર હિન્દુ મંદિર દર્શન માટે મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, જ્યાં ભક્તિ અને શાંતિનો અનુભવ થાય છે.

વિક્ટોરિયા નેચર પાર્ક

પ્રાણી પ્રેમીઓ માટે આ પાર્ક એક બેસ્ટ જગ્યા છે. જ્યાં તમને નીલગાય, મોર, અને શિયાળ જેવા વન્યજીવો જાવો મળશે

ગાંધી સ્મૃતિ

મહાત્મા ગાંધીના નામમાં અહી એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે અહીં ગાંધીજીના જીવનને લગતી વસ્તુઓ જોવા મળે છે. આ સ્થળની મુલાકાત લઈ તમે ગાંધીજીના જીવનને નજીકથી જાણી શકો છો.

બાર્ટન લાયબ્રેરી અને મ્યુઝિયમ

ભાવનગરમાં ઇતિહાસ અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત, આ લાયબ્રેરી અને મ્યુઝિયમની તમે વિઝિટ કરી શકો છો. આ લાયબ્રેરી પ્રાચીન પુસ્તકો અને સુંદર કળાથી સુશોભિત છે

ચોમાસામાં આ સ્થળોએ જવાનું ટાળો, મુશ્કેલીમાં મુકાઈ શકો છો