ઉધરસમાં જાયફળ રાહત આપશે, આ રીતે ઉપયોગ કરો


By Jivan Kapuriya20, Jul 2023 03:35 PMgujaratijagran.com

જાણો

જાયફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉધરસથી છુટકારો મેળવવા માટે તમે તેનું સેવન કરી શકો છો. ચાલો જાણીએ કફથી રાહત મેળવવા જાયફળનું સેવન કેવી રીતે કરવું.

જાયફળના પોષક તત્વો

વિટામિન સી, મેંગેનીઝ, વિટામિન ઈ, કોપર, આયર્ન.

દૂધની સાથે જાયફળ પાવડર

દૂધમાં જાયફળનો પાવડરને મિક્સ કરીને પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે. આ માટે ગરમ દૂધમાં પાવડર મિક્સ કરીને પીવો. આમ કરવાથી શરદી અને ઉધરસમાં ઘણી રાહત મળે છે.

જાયફળ અને મધ

ઉધરસ આવતી હોય ત્યારે તમે જાયફળને પીસીને મધ સાથે ખાઈ શકો છો. આ માટે જાયફળને બારીક પીસીને તેમા થોડુ મધ મિક્સ કરીને ચાટી લો. તેનાથી ઉધરસમાં ઘણી રાહત મળે છે.

પાણીમાં ઉકાળીને પીવો

ઉધરસથી રાહત મેળવવા માટે તમે પાણીને ઉકાળીને તેમાં જાયફળનો પાવડર મિક્સ કરી શકો છો. જો તમે ઈચ્છો તો તેમાં મધ પણ ઉમેરી શકો છો.

જાયફળ અને ઘી

આ બીમારીથી રાહત મેળવવા માટે તમે જાયફળ સાથે ઘી મિક્સ કરીને છાતી પર પણ લગાવી શકો છો. તેનાથી ઉધરસમાં ઘણી રાહત મળે છે.

ઉધરસની સ્થિતિમાં જાયફળનું સેવન આ બધી રીતે કરી શકાય છે.

શરીસમાં લોહીની ઉણપ હોય ત્યારે પીવો આ 6 ફળોનું જ્યુસ