શરીરમાં લોહીની ઉણપ કારણે ઓક્સિજનની પણ ઉણપ થાય છે, જેના કારણે થાક-નબળાઇ અને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડે છે. આવો જાણીએ કેટલાક ફળો વિશે, જેમનું જ્યુસથી તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.
એનિમિયાની સમસ્યા ઘણીવાર શરીરમાં હિમોગ્લોબીનની ઉણપને કારણે થાય છે. હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે દાડમનું જ્યુસ પીવું ફાયદાકારક છે.
દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં આયર્ન અને વિટામિન સી હોય છે.જે શરીરમાં હિમોગ્લોબિનને વધારવામાં મદદ કરી શકે છે. હિમોગ્લોબિન લેવલ વધારવાથી એનિમિયાની સમસ્યામાં રાહત મળે છે.
જામફળમાં ભરપૂર માત્રામાં આયર્ન અને વિટામિન સી હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે ફાયદાકારક છે. શરીરમાં લોહીની ઉણપ હોય ત્યારે જામફળનું જ્યુસ પીવાથી ફાયદો થાય છે.
જો શરીરમાં એનિમિયાની સમસ્યા હોય તો સફરજનનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. સફરજનમાં આવા ઘણા મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર હોય છે. જે લાલ રક્તકણો ઉત્પન કરવામાં મદદ કરી શકે છે.
એનિમિયાની સમસ્યામાં લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકરક છે. લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં આયર્ન અને વિટામિન સી હોય છે.જે લાલ રક્તકણોને વધારવામાં મદદ કરે છે.
શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને કારણે એનિમિયા થઈ શકે છે.બીટના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં આયર્નની માત્રા વધે છે,જે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.
બ્રોકલીમાં રહેલા વિટામિન સી અને આયર્ન હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાં લોહીની ઉણપ હોય ત્યારે બ્રોકલીમાંથી બનાવેલા જ્યુસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકરક છે.