ઉનાળું વેકેશનમાં દ્વારકામાં ફરવા લાયક સ્થળો


By Vanraj Dabhi17, May 2025 03:15 PMgujaratijagran.com

ઉનાળું વેકેશન

સમર વેકેશનમાં દરેલ લોકો ફરવાનો પ્લાન કરતા હોય છે, આજે અમે તમને દ્વારકા અને તેની આસપાસના ફરવા લાયક સ્થળો વિશે જણાવીશું.

જગત મંદિર

વિશ્વ વિખ્યાત દ્વારકામાં જગત મંદિર ખાતે ભગવાન કૃષ્ણના દર્શન કરી શકો છો.

બેટ દ્વારકા

તમે ભગવાન કૃષ્ણની લીલા માટે બેટ દ્વારકાની મુલાકાત કરી શકો છો.

મકરધ્વજ મંદિર

મકરધ્વજનું એક મંદિર બેટ દ્વારકામાં આવેલુ છે. જેમાં હનુમાનજી અને તેમના પુત્રની મૂર્તિ એક સાથે છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ

ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુ વચ્ચેના માર્ગ પર ભગવાન શિવનું આ વિશાળ મંદિર આવેલું છે.

શિવરાજપુર બીચ

શિવરાજપુર બીચ દેવભૂમિ દ્વારકામાં આવેલો છે, આ બીચ ખાતે વેકેશનમા મોટી સંખ્યામાં લોકો આવે છે અને ત્યાં દરિયાકાંઠે નાહવાનો આનંદ લે છે.

ગોપી તળાવ

દ્વારકાથી અંદાજે 22 કિમી દૂર આ ઐતિહાસિક મહત્વ ધરાવતું પવિત્ર ગોપી તળાવ આવેલું છે.

રૂક્ષ્મણી મંદિર

દ્વારકાથી અંદાજે 2 કિમીના અંતરે શ્રીકૃષ્ણની પટરાણી દેવી રુક્મિણીને સમર્પિત આ મંદિર આવેલું છે.

મુળવેલ મોમાઈ મંદિર

નાગેશ્વર મંદિર નજીક સાંગણ કોટડા ખાતે મોમાઈધામ આવેલ છે.

આ હિલ સ્ટેશન શિમલા અને મનાલી કરતા પણ અસલી સ્વર્ગ છે