આ 5 આયુર્વેદિક ફૂડ્સ છે પેટની સમસ્યાઓ માટેનો રામબાણ ઈલાજ


By Prince Solanki23, Dec 2023 12:21 PMgujaratijagran.com

પેટની સમસ્યાઓ

ઠંડીમા વધારે માત્રામા જંક ફૂડનુ સેવન કરવાથી શરીરમા પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. એવામા જો તમે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગો છો તો તમે કેટલાક આયુર્વેદિક ફૂડ્સનુ સેવન કરી શકો છો. ચલો જાણીએ આ આયુર્વેદિક ફૂડ્સ વિશે.

એક્સપર્ટની સલાહ

ડો મનિષ શાહના પ્રમાણે ઠંડીમા વધારે માત્રામા જંક ફૂડનુ સેવન કરવાથી શરીરમા પેટ સાથે જોડાયેલી જેમ કે કબજિયાત, ગેસ, અપચો વગેરે થાય છે. વધારે તળેલી વસ્તુઓ ખાવાથી પણ પેટ ખરાબ થઈ શકે છે.

આંબળા

આંબળા પેટ માટે ફાયદાકારક હોય છે. ઠંડીમા આંબળા ખાવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. આ માટે તમે સવારે ઉઠીને આંબળાનો જ્યુસ પીઓ.

હળદરનો ઉપયોગ કરો

હળદર શરીરની પાચનશક્તિને સુધારે છે અને સાથે રોગપ્રતિકારક શક્તિમા પણ વધારો કરે છે. હળદરને નવસેકા ગરમ પાણીમા ઉમેરીને પીઓ.

ધાણાના બીજ

ધાણાના બીજ પેટમા થતી એસિડિટીની સમસ્યામા રાહત આપે છે. આ ઉપરાંત ધાણાનુ પાણી પીવાથી કબજિયાત પણ દૂર થાય છે.

જીરા

ઠંડીમા જીરુ ખાવાથી પેટમા દુખાવો, કબજિયાત અને એસિડિટીની સમસ્યામા રાહત આપે છે. આ ઉપરાંત જીરુ પેટને સાફ રાખવામા મદદ કરે છે. આ માટે તમે રોજ નવસેકા પાણીમા જીરાને ઉમેરીને પીઓ.

હીંગ

હીંગમા રહેલા પોટેશિયમ, કેલ્શિયમ, ફાઈબર પેટની સમસ્યાઓ માટે ફાયદાકારક છે. ખાલી પેટે હીંગનુ પાણી પીવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સ્મોકિંગથી રહો દૂર, ચામડી માટે નુકસાનકારક