ઠંડીમા અશ્વગંધાનુ સેવન કેમ કરવુ જોઈએ?


By Prince Solanki10, Jan 2024 01:22 PMgujaratijagran.com

અશ્વગંધા

અશ્વગંધામા ઘણા ઔષધિય ગુણો રહેલા હોય છે. ઠંડીમા જડી બુટ્ટીનુ સેવન કરવુ ફાયદાકારક છે. આ પાઉડરના સેવનથી શરીરમા ગરમી આવે છે અને તમને પેટ સંબધિત સમસ્યાઓથી બચાવી શકે છે.

પોષકતત્વો

અશ્વગંધાની અંદર એંટી ઓક્સીડેંટ્સ, લિવર ટોનિક, એંટી ઈફ્લેમેટરી, એંટી બેક્ટેરિયલ અને અન્ય ઘણા પોષકતત્વો મળી આવે છે. તેનાથી તમારુ શરીર પણ સ્વસ્થ રહે છે. અશ્વગંધામા એંટી તણાવના ગુણ પણ હોય છે, જે સ્ટ્રેસ ફ્રિ રહેવામા મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિમા વધારો

ઠંડીમા બીમારીઓ અને સંક્રમણની સમસ્યા વધી જાય છે. તેનાથી બચાવ માટે રોગપ્રતિકારક શક્તિમા વધારો કરવો ખૂબ જ જરુરી છે. તમે તે માટે અશ્વગંધાનુ સેવન કરી શકો છો.

સોજાથી બચાવ

ઠંડીમા ઘણા લોકોના હાથ અને પગમા સોજા આવી જતા હોય છે. તો આ સમસ્યામા તમે અશ્વગંધાનુ સેવન કરી શકો છો. તમે અશ્વગંધાના પાઉડરનો સેવન કરી શકો છો. તેનાથી સોજાને ઓછો કરી શકાય છે.

કોલેસ્ટ્રોલ

અશ્વગંધાના સેવનથી શરીરમા કોલેસ્ટ્રોલના લેવલ ઓછુ થાય છે. આ ઉપરાંત તેનાથી સારા કોલેસ્ટ્રોલને વધારવામા મદદ કરે છે.

પેટનુ ધ્યાન

જો તમે પેટ સંબધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો અશ્વગંધાનુ સેવન કરી શકો છો. તેનાથી પાચનતંત્ર મજબૂત થાય છે. તેનાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.

મજબૂત હાડકા

જો તમે સ્નાયુઓ અને હાડકાઓ મજબૂત કરવા માંગો છો, તો અશ્વગંધાનુ સેવન કરી શકો છો. અશ્વગંધાના પાઉડરને દૂધમા નાખીને પીવાથી શરીરને મજબૂતી મળે છે. તેનાથી શરીરની તાકાત વધે છે.

અનિદ્રા

જો તમને રાતમા ઊંઘની સમસ્યા નથી આવતી તો અશ્વગંધાનુ સેવન કરી શકો છો. અશ્વગંધાના સેવનથી ઊંઘની સમસ્યા દૂર કરી શકાય છે. તેનાથી ડિપ્રેશન, તણાવ અને ચિંતાની સમસ્યા દૂર કરી શકાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

માત્ર એક જ અઠવાડિયામા ચામડી ચમકશે, લગાવો ચોખાનો લોટ