હિન્દૂ ધર્મમા માળામા માળાને ધારણ કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામા આવે છે. માળાને ધારણ કરવાથી વ્યક્તિને ઘણા ફાયદા મળે છે.
મોતી ચંદ્ર સાથે સંબધ રાખનાર એક જૈવિક રત્ન છે. મોતીમા ચંદ્ર ગ્રહની કેટલીક અલૌકિક શક્તિઓ રહેલી છે.
મોતીની માળા ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે. જેથી મોટાભાગના લોકો તેને ધારણ કરવાનુ પસંદ કરે છે. ચલો જાણીએ મોતીની માળા ધારણ કરવાના કેટલાક અદ્ભૂત ફાયદાઓ વિશે.
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મોતીની માળા ધારણ કરવાથી વ્યક્તિમા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. મોતીની માળા શરીર માથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.
મોતીની માળા ચંદ્ર સાથે સંબધ રાખે છે. માતીની માળા પહેરવાથી ચંદ્ર સંબધિત દુષ્પ્રભાવ ઓછો કરી શકાય છે.
મોતીની માળા પહેરવાથી ધનમા વધારો થાય છે. જે વ્યક્તિ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ મોતીની માળા પહેરવી જોઈએ.