ઉનાળામાં સવારે ઉઠતાની સાથે જ ઠંડા પાણીથી ચહેરો ધોવો એ ત્વચા અને સ્વાસ્થ્ય માટે સારું છે.ચાલો જાણીએ ઠંડા પાણીથી મોં ધોવાના ફાયદા વિશે.
સવારે ઠંડા પાણીથી મોં ધોવાથી થાક અને સુસ્તી દૂર થશે અને તમે ઊર્જાવાન અનુભવશો.
જો તમે પિંપલ્સની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે સવારે ઠંડા પાણીથી ચહેરો ધોઈ શકો છો.
જો તમે સવારે ઠંડા પાણીથી ચહેરો ધોશો તો ચહેરાની કરચલીઓ અને ફાઈન લાઈન્સની સમસ્યાથી બચી શકાય છે. તેનાથી ત્વચા કોમળ અને જુવાન દેખાય છે.
સવારે ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ચહેરા પર જામેલું વધારાનું તેલ નીકળી જાય છે.
જ્યારે તમે સવારે ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ખુલ્લા છિદ્રો બંધ થઈ જાય છે.જેનાથી ત્વચામાં ગંદકી જમા થતી નથી.
સવારે ઠંડા પાણીથી મોં ધોવાથી તમારી આંખોને રાહત મળે છે.આંખોની લાલાશ અને સોજાને પણ ઘટાડી શકાય છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.