દવા વિના પણ તમે કરી શકો છો થાઇરોઇડને કંટ્રોલ, જાણી લો આ સરળ ઉપાયો


By Smith Taral24, May 2024 06:23 PMgujaratijagran.com

થાઇરોઇડ એ ગળામાં હાજર બટરફ્લાય આકારની ગ્રંથિ છે જેનું કામ શરીરનો વિકાસ, તેનું તાપમાન અને મેટાબોલીઝમને નિયંત્રણમાં રાખવાનું છે. જીવશૈલીમાં ફેરફાર થવાના લીધે થાઈરોઈડમાં અસંતુલન સર્જાઈ શકે છે. આ સમસ્યાનું નિવારણ તમે દવા વગર પણ લાવી શકો છો. આવો જાણીએ કેવી રીતે

થાઇરોઇડ અસંતુલિત થવા પાછળના કારણો

જો તમે ખૂબ જ તણાવ અનુભવી રહ્યા હોવ અને તમારા શરીરમા વિટામિન Aની અને આયોડિનની ઉણપ હોય ત્યારે થાઇરોઇડ અસંતુલન સર્જાઈ શકે છે

જો થાઇરોઇડ અસંતુલિત હોય તો શું થશે?

થાઇરોઇડ અસંતુલિત થવાથી તમારા શરીરમા ઊર્જાનું લેવલ ઘટે છે, આ સાથે તમારા શરીરનું તાપમાનમાં પણ અસંતુલન સર્જાય છે. આના અન્ય લક્ષણોમાં નબળી પ્રજનનક્ષમતા, વજન વધવું/ઘટવું અનિયમિત માસિક સ્રાવ પણ જોવા મળે છે

ઉજ્જયી પ્રાણાયામ કરો

આયુર્વેદના ડૉક્ટરો થાઇરોઇડને સંતુલિત રાખવા માટે નિયમિતપણે ઉજ્જયી પ્રાણાયામ કરવાની સલાહ આપે છે આ પ્રાણાયામ કરવાથી ગરદનનમા વાઇબ્રેશન થાય છે જે થાઇરોઇડને સંતુલિત કરવામા મદદ કરે છે.

અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો

અનુલોમ વિલોમ પ્રાણાયામ શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે અને થાઈરોઈડ જેવા રોગોમાં રાહત આપે છે.

અનુલોમ વિલોમ પ્રાણાયામ કેવી રીતે કરવો

અનુલોમ-વિલોમ પ્રાણાયામમાં જમણા નસકોરા વડે શ્વાસ લો અને ડાબા નસકોરા વડે શ્વાસ બહાર કાઢો. થાઇરોઇડ માટે આ એક અસરકારક ઉપાય છે, આનાથી તમને આ સમસ્યામાં મોટી રાહત મળશે

સારી ઊંઘ લો

ડૉક્ટર દીક્ષાનું કહેવું છે કે થાઈરોઈડની બીમારીથી પીડિત લોકો માટે ગાઢ ઊંઘ લેવી ખૂબ જ જરુરી છે. સારી અને પૂરતી ઊંઘ શરીરના ઝેરી તત્વોને દૂર કરી શરીરને સાફ રાખે છે, જેથી થાઇરોઇડ હોર્મોનનું લેવલ સંતુલનમાં રહે છે.

હથેળીના આ ભાગને દબાવો

તમારી તર્જની અને અંગૂઠા વચ્ચેના કનેક્ટીગ પોઈન્ટને દબાવો. આ પ્રેક્ટીસ બંને હાથ પર 20-50 વખત કરો. આનાથી તમે દવા વગર થાઈરોઈડને કંટ્રોલમાં લાવી શકો છો

ઉનાળામાં વધુ પડતું લીંબુ પાણી પીવાની આડઅસર વિશે નથી ખબર! જાણી લો