આખો દિવસ પગમાં બૂટ-ચપલ પહેરવાથી પગમાં ધૂળ જમા થાય છે અને પરસેવો આવવા લાગે છે. આવી સ્થિતિમાં રાત્રે પગને ધોઈને સૂવાથી વ્યક્તિ પગના સ્વાસ્થ્યનું અનેક રીતે ધ્યાન રાખે છે.
સૂતા પહેલા પગ ધોવાથી દિવસભરનો થાક દૂર થાય છે, સાથે જ તણાવ પણ ઓછો થાય છે.
પગ ધોઈને પછી સૂવાથી રાત્રે ઊંઘ સારી આવે છે. આ સાથે ગંદકી, પરસેવો અને બેક્ટેરિયાને દૂર કરીને ત્વચાની બળતરા, ખંજવાળ અને પગમાંથી આવતી દુર્ગંધથી પણ રાહત મેળવી શકાય છે.
રાત્રે સૂતા પહેલા પગને ગરમ પાણીથી ધોવા સારૂં છે. કારણ કે તે શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે કરે છે. પાણીની હૂંફથી રક્ત કોશિકાઓ વિસ્તરે છે સાથે જ પગમાં ઓક્સિજન અને પોષક તત્વોનો પ્રવાહ સુધરે છે.
રાત્રે તમારા પગને ગરમ પાણીમાં પલાળવાથી દુખાવો અને સોજો દૂર કરવામાં મદદ મળે છે, કારણ કે ગરમ પાણી સ્નાયુઓને આરામ આપે છે અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.
એથ્લીટના પગ જેવી સમસ્યાઓથી બચવા માટે પગને સાફ રાખવા ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા પગ ધોવાથી ફંગલ ઈન્ફેક્શન વગેરેનું જોખમ ઓછું થાય છે.
દિવસભરના થાક પછી જ્યારે સૂતા પહેલા પગ ધોવામાં આવે તો શરીરનું તાપમાન આપોઆપ નિયંત્રણમાં આવે છે. શરીરનું તાપમાન ઓછું હોવાને કારણે વ્યક્તિને સારી ઊંઘ આવે છે.
ઘણા લોકોના પગની ત્વચા શુષ્ક હોય છે, તેનું મુખ્ય કારણ પરસેવો અને દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયા છે.સૂતા પહેલા પગ ધોવાથી ગંદકી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે અને ત્વચાને નુકસાન થતું નથી.