કેટલાક લોકો કામના કારણે તો કેટલાક લોકો આળસના કારણે કલાકો સુધી બેઠા રહે છે. જો તમે અડધો કલાક રોજ ચાલો તો આખા શરીર માટે ફાયદાકારક છે.
ફક્ત 30 મિનિટ વોક તમારા દિવસભરનો સ્ટ્રેસ દૂર કરી શકે છે. જો તણાવ, ચિંતા જેવું લાગે તો વોક કરો. ચાલવાથી તમને સારો અનુભવ થશે.
બોડીનું બ્લડ સર્ક્યુલેશન વધારવા માગો છો તો ફક્ત અડધો કલાક ચાલો. રોજ 30 મિનિટ ચાલવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે.
ચાલવાથી તમારું હાર્ટ હેલ્થી રહે છે. જો હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માગો છો તો રોજ 30થી 40 મિનિટ ચાલવું જોઇએ.
ડાયાબિટીસના દર્દીઓ માટે ચાલવું ખૂબ જ ફાયદાકારક છે. જે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. તમે જેટલું ચાલશો એટલું શરીર માટે વધારે સારું રહેશે.
ફક્ત અડધો કલાક ચાલવાથી તમે વજન ઘટાડી શકો છો. વજન ઘટાડવા અને કેલેરી બર્ન કરવા માટે રોજ 30-45 મિનિટ સુધી ચાલવું જોઇએ, જે તમારા હાડકા માટે પણ ઉત્તમ છે.
ચાલવું તમારા પાચન માટે પણ સારું છે. ભોજન કર્યા પછી વોક પર જાવ, જે ખોરાક પચાવવામાં મદદ કરે છે. 30 મિનિટ ચાલવાથી ડાઇજેશન પણ તંદુરસ્ત રહે છે.