સરગવાના પાન ખાવાથી મળે છે અનેક ફાયદા


By Prince Solanki17, Dec 2023 09:13 AMgujaratijagran.com

સરગવાના પાન

સરગવાના પાન શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સરગવાના પાનનું સેવન કરવાથી શરીરમાં સ્વાસ્થ્ય સંબધિત ઘણા ફાયદા થાય છે. ચલો સરગવાના ફાયદા વિશે વિસ્તારમાં જાણીએ.

એક્સપર્ટની સલાહ

આયુવેદીક ડો એસ પાંડેના અનુસાર સરગવાના પાનનું સેવન કરવા સિવાય તેના પાનનો જ્યુસ પીવાથી પણ શરીરનો વજન ઓછો થાય છે.

પોષકતત્વોથી ભરપૂર

સરગવાના પાનમાં પ્રોટીન, વિટામિન એ, કેલ્શિયમ અને વિટામિન સી જેવા પોષકતત્વો જોવા મળે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

સરગવાના પાનનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. સાથે જ બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે

સરગવાના પાનમાં વિટામિન સી હોય છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. તેના પાનનું સેવન કરવાથી તમે જલ્દી બીમાર પડતા નથી.

હાડકાઓ મજબૂત કરે

હાડકાઓને મજબૂત કરવા માટે તમે સરગવાના પાનનું સેવન કરો. તેમાં રહેલું કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફોરસ હાડકાઓને મજબૂત કરે છે.

વજનને ઓછું કરે

વજન ઘટાડવા માટે સરગવાના પાનનું સેવન કરો. સરગવાના પાનમાં એંટી ઓબેસીટી ગુણ રહેલા હોય છે, જે શરીરના વજનને ઓછું કરે છે.

આંખો માટે ફાયદાકારક

સરગવાના પાનના સેવનથી આંખો સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. તેનો જ્યુસ પીવાથી આંખો સ્વસ્થ રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આ લોકો માટે હાનીકારક હશે હીંગનું સેવન