By Sanket M Parekh2023-05-25, 16:10 ISTgujaratijagran.com
નવો મિત્ર મળશે
ડૉગ સાથે થોડા દિવસ સુધી સમય વીતાવ્યા બાદ તે તમારા પરિવારના એક અભિન્ન અંગ જેવો થઈ જશે. તમે તેની સાથે એક મિત્રની જેમ રહી શકો છો.
ઘરની સેફ્ટી
ડૉગ ખૂબ જ વફાદાર હોય છે. ઘરમાં થતી ચોરી જેવી અનેક પરિસ્થિતિઓમાં ડૉગ તમારી મદદ કરી શકે છે.
વાસ્તુ પ્રમાણે શુભ
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જોઈએ તે, ઘરમાં ડૉગને રાખવો શુભ માનવામાં આવે છે. આજ કારણ છે કે, લોકો શ્વાનને રોટલી ખવડાવતા હોય છે.
વધારે ખર્ચ નહીં થાય
ડૉગ ખરીદવા માટે તમારે વધારે ખર્ચ નહીં કરવો પડે, જે એક સારી વાત છે. આ ઉપરાંત ડૉગના ખાવા માટે પણ વધારે ખર્ચ નથી આવતો.
નવા ફ્રેન્ડ બનાવી શકશો
જ્યારે તમે ડૉગની સાથે ઘરની બહાર ફરવા જશો, તો તમને એવા કેટલાય લોકો જોવા મળશે, જે પોતાના ડૉગ સાથે આવ્યા હશે. એવામાં તમે તેમની સાથે ફ્રેન્ડશિપ કેળવી શકશો.
પોઝિટિવ એનર્જી મળશે
ડૉગ ઘરની તમામ નકારાત્મક એનર્જીને ખતમ કરે છે, જેથી વાતાવરણમાં પોઝિટિવિટી મળે છે.
લક્ષ્મી આવે છે
એવું મનાય છે કે, ડૉગને પાળવાથી લક્ષ્મી આવે છે અને સુખ-સમૃદ્ધિ વધે છે.