આમ તો વાસી ખોરાક નહીં ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને ફ્રીજમાં રાખેલ વાસી ખોરાકને ખાવું યોગ્ય નથી માનવામાં આવતું.
ઘઉંના લોટમાંથી બનેલી રોટલીમાં વિટામિન અને પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેમાં વિટામિન બી,આયર્ન,કેલ્શિયમ,મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.
વાસી રોટલી ખાવાથી સુગર અને બીપી કંટ્રોલમાં રહે છે.જો વાસી રોટલી દૂધ સાથે ખાવામાં આવે તો વધુ ફાયદો થાય છે.
મસાલેદાર ખોરાક ખાવાથી ઘણીવાર એસિડિટીની સમસ્યા થાય છે. તેનાથી બચવા માટે તમે સવારે દૂધ સાથે વાસી રોટલી ખાઈ શકો છો.
વાસી રોટલીમાં કેલરી અને ચરબી ઓછી માત્રામાં જોવા મળે છે. જો કે ફાઈબર,પ્રોટીન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનાથી તમારું વજન નિયંત્રણમાં રહે છે.
ઠંડા દૂધમાં વાસી રોટલી નાખીને ખાવાથી પણ શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. ખાસ કરીને ઉનાળામાં તેને ખાવાથી વધુ ફાયદો થાય છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.