સવારે પલાળેલા 4 અખરોટ ખાવ, શરીરને મળશે અઢળક ફાયદા


By Jivan Kapuriya01, Aug 2023 11:14 AMgujaratijagran.com

સ્વસ્થ રહો

સ્વચ્છ રહેવા માટે પૌષ્ટિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. આ પદાર્થોના સેવનથી શરીરને એનર્જી મળે છે. આવો જાણીએ પલાળેલા અખરોટ ખાવાથી શું ફાયદા થાય છે?

અખરોટ

અખરોટામં વિટામિવન,મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેને પલાળીને ખાલી પેટે ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

કબજિયાતમાં રાહત

અખરોટમાં પૂરતી માત્રામાં ફાઈબર હોય છે. તેને ખાલી પેટ ખાવાથી કબજિયાત મટે છે. આ સિવાય પાચનક્રિયા પણ સારી રહેશે.

ડાયાબિટીસ કંટ્રોલ

દરરોજ 2 થી 3 અખરોટનું સેવન કરવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે અખરોટ ખૂબ જ ફાયદાકારક છે.

હાડકાં મજબૂત

અખરોટમાં આલ્ફા-લિનોલેનિક એસિડ જોવા મળે છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સ્વસ્થ હૃદય

અખરોટમાં પૂરતી માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.આ સિવાય તે ખરાબ કોલેસ્ટ્રોલને પણ બરાબર કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

અખરોટમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે.તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

તણાવમાં રાહત

જો તમે તણાવથી પરેશાન છો તો તમે પલાળેલા અખરોટનું સેવન કરી શકો છો.તે તણાવને દૂર કરીને સારી ઊંઘ મેળવવામાંમદદ કરે છે.

વાંચતા રહો

તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

50થી વધુની ઉંમર છે તો તમારા ડાયેટમાં જરૂર સામેલ કરો આ વસ્તુઓ