વરદાનથી કમ નથી કિશમિશનું પાણી, જાણો કેમ તેને રોજ પીવાની સલાહ આપવામાં આવે છે?


By Sanket M Parekh19, Oct 2023 04:35 PMgujaratijagran.com

કિશમિશ

કિશમિશ શરીર માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. જેને પલાળીને ખાવાથી અનેક પ્રકારના રોગ દૂર થવા લાગે છે.

સ્વસ્થ રહેવું

શરીરને સ્વસ્થ રાકવા માટે પોષક યુક્ત પદાર્થોનું સેવન કરવું જોઈએ. આ માટે કિશમિશ સૌથી બેસ્ટ વિકલ્પ બની શકે છે.

પોષક તત્વ

કિશમિશમાં આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તેને ખાવાથી પુરતા પ્રમાણમાં ફાઈબર મળે છે.

યુવાન દેખાશો

જો તમે હંમેશા યુવાન દેખાવા માંગતા હોવ, તો કિશમિશના પાણીને પીવુ જોઈએ. કિશમિશને પાણીમાં ઉકાળીને પીવાથી શરીર એક્ટિવ રહે છે.

ઈમ્યૂનિટી વધારશે

દરરોજ 5 કિશમિશને પલાળીને ખાવાથી ઈમ્યુનિટી વધવા લાગે છે. જે શરીરને ચેપી રોગ સામે લડવામાં ખૂબ જ મદદ કરે છે.

ગળાનું ઈન્ફેક્શન દૂર કરશે

કિશમિશમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જેને પલાળીને ખાવાથી ગળામાં થઈ રહેલા ઈન્ફેક્શનની સમસ્યા ખતમ થવા લાગે છે.

હાડકા મજબૂત બનાવશે

કિશમિશમાં કેલ્શિયમ મળી આવે છે. દરરોજ 5 કિશમિશને પલાળીને ખાવાથી હાડકા મજબૂત થવા લાગે છે.

લોહીનું પ્રમાણ વધારશે

શરીરમાં લોહીની કમી થવા પર એનીમિયા થવાનો ખતરો વધવા લાગે છે. દરરોજ કિશમિશનું પાણી પીવાથી શરીરમાં લોહીનું પ્રમાણ જળવાઈ રહે છે.

વજન ઓછું કરશે

કિશમિશમાં ફેટનું પ્રમાણ નથી હોતું. જો તમે વજન વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, તો દરરોજ કિશમિશનું સેવન કરવું જોઈએ. જેનાથી ઝડપથી વજન ઘટવા લાગે છે.

શરદી-ઉધરસનો રામબાણ ઈલાજ છે મૂલેઠી, આ રીતે સેવન કરવાથી તાત્કાલિક મળશે રાહત