પલાળેલી વરિયાળી અને ગોળ ખાવાથી શું થાય છે? જાણો


By Vanraj Dabhi27, Jan 2025 11:39 AMgujaratijagran.com

વરિયાળી અને ગોળ

ઘણા લોકો ગોળ અને વરિયાળીનું સેવન કરતા હશે, પરતું બંનેનું એકસાથે સેવન કરવાના કેટલાક ફાયદા છે.

ગોળ અને પલાળેલી વરિયાળી

પલાળેલી વરિયાળી અને ગોળ એકસાથે ખાવાથી પાચનમાં સુધારો કરવાની સાથે શરીરમાં એનર્જી અને મેટાબોલિઝમ પણ વધે છે.

પાચનમાં સુધારે

પાચન સંબંધી સમસ્યાઓ હોય તો તમે ગોળ અને પલાળેલી વરિયાળીનું સેવન કરો, તેનાથી પાચનક્રિયામાં સુધારો થાય છે.

એનર્જી વધારે

શિયાળામાં આપણું શરીર ઢીલું પડી જતું હોય છે. ગોળ અને વરિયાળી એકસાથે ખાવાથી શરીરમાં એનર્જી વધે છે.

મેટાબોલિઝમ વધારે

ગોળ અને વરિયાળીનું સેવન શરીરમાં મેટાબોલિઝમ વધારે છે.

સાંધાનો દુખાવો

ગોળ અને વરિયાળી ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે અને સંધિવાની સમસ્યાથી છુટકારો મળે છે.

શ્વાસની દુર્ગંધ

ગોળ અને વરિયાળી ખાવાથી શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે.

પિત્ત સંતુલન

વરિયાળી અને ગોળ વાટ અને પિત્તને સંતુલિત કરો. તેનાથી શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મળે છે.

રક્ત પરિભ્રમણ સુધારવા

ગોળ અને વરિયાળીનું સેવન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધારવામાં મદદ મળે છે. આ ઉપરાંત એનિમિયાની સમસ્યામાંથી પણ રાહત મેળવી શકાય છે.

પીરિયડના દુખાવામાં રાહત આપે છે

ગોળ અને વરિયાળીનું સેવન કરવાથી પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો અને ખેંચાણની સમસ્યાથી રાહત મળે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે

ગોળ અને વરિયાળીનું એકસાથે સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sore Throat Remedies: ગળામાં કાકડા થાય તો શું કરવું? જાણો ઘરેલું ઉપાય