શિયાળામાં તલ ખાવાના ચમત્કારિક ફાયદા જાણી લો


By Vanraj Dabhi16, Dec 2023 11:24 AMgujaratijagran.com

શિયાળામાં તલ ખાવાના ફાયદા

તલમાં પોલિસેકરાઇડ ફેટી એસિડ, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઓમેગા-6 જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે શરીર માટે ફાયદાકારક છે. શિયાળામાં તલનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના ફાયદા.

એનર્જીમાં વધારો કરે

સફેદ તલ ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત છે. મુઠ્ઠીભર બીજ ખાવાથી આળસ, નબળાઈ અને થાકથી રાહત મળે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે

શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તેને વધારવા માટે સફેદ તલથી ભરપૂર આહાર લો. તે તમને ઝિંક જેવા શક્તિશાળી પોષક તત્વો આપે છે જે રોગપ્રતિકારક શક્તિની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક છે

સફેદ તલમાં ઓમેગા-6 ફેટી એસિડ હોય છે. આ હેલ્ધી ફેટ ત્વચાને મુલાયમ બનાવે છે. જો તમે ત્વચાની શુષ્કતાથી પરેશાન છો તો આ તંદુરસ્ત બીજ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

પાચન સુધારે

શિયાળામાં પાચનશક્તિ પણ ધીમી પડી જાય છે. જેનાથી અપચો, ગેસ, પેટનું ફૂલવું, પેટમાં દુખાવો થઈ શકે છે. આ બીજમાં હાજર ફાઈબર પાચનક્રિયાને સુધારે છે અને પેટની સમસ્યાઓથી રાહત આપે છે.

હૃદયનું સ્વાસ્થ્ય સારું રહેશે

તલમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને સોલેનિયમ મળી આવે છે. શિયાળામાં તેનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

હાડકાં મજબૂત કરે છે

જો તમે હાડકા અને સાંધાના દુખાવાથી પરેશાન છો તો તમે તલનું સેવન કરી શકો છો. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા કેટલાક જરૂરી મિનરલ્સ મળી આવે છે જે શરીરના હાડકાં માટે ફાયદાકારક છે. તેનાથી હાડકા મજબૂત થાય છે.

તણાવમાં રાહત આપે

તલના બીજમાં કેટલાક પોષક તત્વો અને વિટામિન્સ મળી આવે છે જે તણાવ અને ડિપ્રેશનને ઘટાડવામાં મદદરૂપ થાય છે. શિયાળામાં તેનું સેવન માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.

વાંચતા રહો

શિયાળામાં તલનું સેવન કરીને તમે પણ આ 7 સમસ્યાઓથી બચી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

એલોવેરાના જેલને વાળમાં કંઈ રીતે લગાવી શકાય?