ઉનાળામાં ઘી ચોપડેલી રોટલી ખાવાના ફાયદા


By Vanraj Dabhi25, May 2024 12:05 PMgujaratijagran.com

ઘી વાળી રોટલી

ઘી વિટામિન A,વિટામિન E અને વિટામિન K થી ભરપૂર હોય છે.તે રોટલી પર લગાવીને ખાવાથી તેના પોષક તત્વોમાં વધારો થાય છે,ચાલો તેના અનેક સ્વાસ્થ્ય લાભ વિશે જાણીએ.

વજન ઘટાડે

ઘી વાળી રોટલી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

ડાયાબિટીસ

રોટલી પર ઘી લગાવ્યા બાદ તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચે આવે છે. આ ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે અને તંદુરસ્ત કોલેસ્ટ્રોલ પણ વધારી શકે છે.

પાચન સારું

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે દેશી ઘી સાથે રમ રોટલી ખાવાથી આંતરડાની તંદુરસ્તી સારી રહે છે.

મગજની તંદુરસ્તી વધે

મગજની તંદુરસ્તી વધે

ઘી પોષક તત્ત્વો અને સંતૃપ્ત ચરબીથી ભરપૂર હોવાથી તે મગજ,હાડકાં અને નર્વસ સિસ્ટમના સ્વસ્થ કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઊર્જા વધારે છે

ઘી રોટલી ગ્લાયકેમિક લોડ (GL) ઘટાડવામાં મદદ કરે છે,તેથી તેનું સેવન કરવાથી શરીરમાં એનર્જી લેવલ વધે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

ઘી બ્યુટીરિક એસિડથી સમૃદ્ધ છે તેથી ઘી વાળી રોટલી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે.

કબજિયાતથી રાહત આપે

ઘી મેટાબોલિઝમ વધારે છે અને રોટલીમાં ભરપૂર ફાઈબર હોય છે. તેથી રોજ ઘી વાળી રોટલી ખાવાથી કબજિયાત મટે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સવારે ઠંડા પાણીથી ચહેરો ધોવાના ફાયદા વિશે નથી ખબર! જાણી લો