લસણમાં વિટામિન-બી અને વિટામિન-સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ સાથે જ તેમાં સેલેનિયમ, મેંગેનીઝ અને કેલ્શિયમ જેવા તત્વો પણ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ સાબિત થઈ શકે છે.
બદલાતી સિઝનના પગલે શરદી-ખાંસીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એવામાં લસણનું સેવન કરવાથી આ સમસ્યામાંથી રાહત મળી શકે છે.
લસણમાં એન્ટીસેપ્ટીક ગુણ હોય છે, જે પેટ સાથે સંકળાયેલી સમસ્યામાંથી છૂટકારો અપાવી શકે છે. પેટમાં કીડા પડવા પર લસણનું સેવન કરવાથી રાહત મળે છે.
વરસાદની સિઝનમાં અનેક લોકો શ્વાસ સાથે સંકળાયેલી સમસ્યાનો સામનો કરવા લાગે છે. એવામાં લસણનું સેવન કરવું ફાયદેમંદ સાબિત થઈ શકે છે.
મોનસૂનમાં થતી બીમારીઓથી બચવા માટે ઈમ્યૂનિટી મજબૂત હોવી જરૂરી છે. લસણમાં રહેલ વિટામિન-સી, બી-6 સહિત અન્ય મિનરલ્સ ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવાનું કામ કરે છે.
લવિંગની જેમ લસણને પણ દાંત વચ્ચે દબાવવું ફાયદેમંદ મનાય છે. આમ કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે અને ઈન્ફેક્શનનો ખતરો પણ ઓછો રહે છે.
એક દિવસમાં લસણની બે કળીઓ ખાવી જોઈએ. જરૂરિયાતથી વધારે લસણ ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.