દરરોજ 1 વાટકી દહી જરૂર ખાવ, શરીરને થશે ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh17, Oct 2023 04:36 PMgujaratijagran.com

પાચન તંત્ર

દહીના સેવનથી શરીરમાં રહેલ હાનિકારક ટોક્સિન જલ્દી બહાર નીકળી જાય છે. એવામાં દરરોજ દહી ખાવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે.

વજન ઘટાડશે

દહીની અંદર સારા બેક્ટેરિયા મળી આવે છે. જે પેટામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરે છે અને મેટાબૉલિજ્મને વધારી આપે છે. જેનાથી વજન ઝડપથી ઘટવા લાગે છે.

ઈમ્યુનિટી બૂસ્ટર

દહીમાં એવા અનેક ગુણ મળી આવે છે, જેનાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. ઈમ્યૂન સિસ્ટમ સારી રહેવાથી, વ્યક્તિ અનેક બીમારીઓથી બચી શકે છે.

વજાઈનલ ઈન્ફેક્શન

જણાવી દઈએ કે, દહી સ્કિનના PH લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. એવામાં દહી ખાવાથી વજાઈનલ ઈન્ફેક્શન થવાનો ખતરો મહદઅંશે ટળી જાય છે.

મજબૂત હાડકા

એક વાટકી દહી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. જેનાથી હાડકા મજબૂત બને છે.

આકર્ષક ડ્રેસમાં જોવા મળી Janhvi Kapoor