ધાણા- ફુદીનાની ચટણી ખાવાથી પેટને ફાયદો થઇ શકે છે. આના ખાવાથી પાચનને લગતી સમસ્યા જેમ કે ગેસ, અપચો દૂર થાય છે. આ માટે તેમા સંચળ અને લસણ મિક્સ કરો.
જો તમે ઉલટી જેવી સમસ્યામાંથી પરેશાન છો તો કોથમીર- ફુદીનાની ચટણી ખાઇ શકો છો. આને ખાવાથી મોંનો સ્વાદ સુધરે છે, જે તમારા મૂડને સારો કરીને ઉલટી આવવાની સમસ્યા ઘટાડે છે.
કોથમીર- ફુદીનાની ચટણી ખાવાથી શરીરના સોજા ઘટાડી શકાય છે. આમાં સોજાને ઘટાડવાના ગુણો હોય છે, જે સોજા ઘટાડવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ પણ ધાણા-ફૂદીનાની ચટણીનું સેવન કરી શકે છે. આને ખાવાથી ઇન્સૂલિન અને બ્લડ શુગર લેવલ નિયંત્રણ રહે છે.