ચોમાસામાં હળદર અને આમળાની ચા પીવાના ફાયદા


By Vanraj Dabhi30, Jun 2025 10:46 AMgujaratijagran.com

હળદર અને આમળા

હળદર અને આમળા બંનેમાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણો છે. આ બંને વસ્તુઓમાંથી બનેલી ચા પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ચાલો જાણીએ તેના ફાયદા વિશે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે અને આમળામાં વિટામિન સી હોય છે. તેની ચા રોજ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરદી અને ખાંસી સામે રક્ષણ મળે છે.

ત્વચાને ચમકદાર બનાવે છે

આમળા ત્વચાને ચમકદાર બનાવે છે અને હળદર બળતરા ઘટાડે છે. તેની ચા પીવાથી ત્વચા સાફ થાય છે અને ખીલ ઓછા થાય છે.

પાચનતંત્ર સ્વસ્થ રાખે

હળદર પાચનમાં મદદ કરે છે અને આમળા ગેસ અને અપચોમાં રાહત આપે છે. જમ્યા પછી આ બંનેમાંથી બનેલી ચા પીવાથી પેટ હળવું અને આરામદાયક લાગે છે.

વજન ઘટાડે છે

આમળા અને હળદરની ચા મેટાબોલિઝમને ઝડપી બનાવે છે, જે ચરબી બર્ન કરે છે. સવારે ખાલી પેટે તેને પીવાથી વજન ઘટાડે છે.

વાળ માટે ફાયદાકારક

આમળા વાળને મજબૂત બનાવે છે અને હળદર માથાની ચામડીની બળતરા ઘટાડે છે. આ બંનેમાંથી બનેલી ચા વાળ ખરતા અટકાવે છે અને અકાળે સફેદ થવાનું પ્રમાણ ઘટાડે છે.

સુગર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ

હળદર અને આમળા બંને બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરે છે. આ ચા પીવાથી ડાયાબિટીસ અને હૃદયના સ્વાસ્થ્યને નિયંત્રિત કરે છે.

તણાવ અને થાકમાંથી રાહત

આમળા અને હળદરની ચા શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે અને મનને શાંત કરે છે. તેમાં રહેલા તત્વો તણાવ ઘટાડે છે અને દિવસભરના થાકમાંથી રાહત આપે છે.

વારંવાર વાસી ખોરાક ખાવાની આદતથી લીવર પર શું અસર પડે છે? જાણો