અંજીરનું પાણી પીવાથી જબરદસ્ત ફાયદા મળે છે, ચાલો જાણીએ


By Vanraj Dabhi27, Oct 2023 10:17 AMgujaratijagran.com

અંજીરનું પાણી પીવાના ફાયદા

પોષક તત્વોથી ભરપૂર અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે અંજીરનું પાણી પણ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

પ્રજનન ક્ષમતા વધારે

અંજીરના પાણીમાં ઝિંક, મેંગેનીઝ, મેગ્નેશિયમ, આયર્ન, ઉચ્ચ એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાઈબર હોય છે જે પ્રજનન ક્ષમતાને સુધારવામાં મદદરૂપ છે.

હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

અંજીરના પાણીમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી જો તેનું વહેલી સવારે સેવન કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

બ્લડ સુગર કંટ્રોલ કરે

આખી રાત અંજીરને પાણીમાં પલાળી રાખ્યા બાદ સવારે આ પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

પાચન શક્તિ મજબૂત

અંજીરમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે જેનું પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે કબજિયાત, ભારે પેટ વગેરેમાં રાહત મળે છે.

શરીરને ડિટોક્સ કરે

સવારે ખાલી પેટે અંજીરનું પાણી પીવાથી શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે, જેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

વજન ઘટાડે

અંજીરમાં ફાઈબરની માત્રા વધુ હોય છે તેથી તેનું પાણી દરોરોજ પીવાથી વજન કંટ્રોલમાં રહે છે.

ટીપ્સ

જો પેટમાં દુખાવો કે અપચોની સાથે લૂઝ મોશન હોય તો અંજીર અને તેનું પાણી પીવાનું ટાળવું જોઈએ. વધુ માહિતી માટે નિષ્ણાતની સલાહ લો.

વાંચતા રહો

તમે પણ અંજીરનું પાણી પીવો, સ્ટોરી ગમે તો શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Weight Loss Tips : વજન ઘટાડવા માટે ક્યા ખોરાકનું સેવન ન કરવું જોઈએ, ચાલો જાણીએ