મેથીને જો આયુર્વેદનો ખજાનો કહેવામાં આવે તો તે એકદમ સાચું છે.મેથીનો ઉપયોગ આયુર્વેદની વિવિધ સારવારમાં થાય છે.
મોટાભાગના સ્વાસ્થ્ય નિષ્ણાતો મહિલાઓને મેથીનું પાણી પીવાની સલાહ આપે છે.મેથીનું પાણી મહિલાઓ માટે અમૃત ગણાય છે.
જો તમે તેનું સેવન કરવા માંગતા હોવ તો રાત્રે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી નાખીને પલાળી રાખો.
સવારે ઉઠીને પછી તરત જ તેના પાણીને સારી રીતે ગાળી લો અને પછી પી લો. તમે ઇચ્છો તો તેને કાચી પણ ચાવી શકો છો.
મહિલાઓ માટે મેથીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તે અમૃત સમાન છે, ચાલો જાણીએ શા માટે?
મેથીમાં વિટામિન K અને C ભરપૂર માત્રામાં જોવા મળે છે. આનો ઉપયોગ કરવાથી તમારી ત્વચામાં ખૂબ જ સુંદર ચમક આવે છે.
બાળક જન્મે પછી મહિલાઓમાં દૂધ ઉત્પાદન વધારવા માટે મેથીનું પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
મેથીનું પાણી મહિલાઓમાં પીરિયડ્સના કારણે થતા દુખાવા માટે રામબાણ સાબિત થાય છે અને તે દુખાવામાં ઘણી રાહત આપે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.