દેશી ચણા ફાઈબર તેમજ પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. દરરોજ સવારે કાળા ચણા ખાવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
પલાળેલા ચણામાં ફાઈબર મળી આવે છે, જે પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. જેથી તમારે પેટ સાથે સંકળાયેલી સમસ્યાનો સામનો નહીં કરવો પડે.
ચણામાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ મળી આવે છે. એવામાં તેના સેવનથી તમને ભૂખ ઓછી લાગે છે અને વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.
ચણામાં બ્યૂટિરેટ નામનું ફેટી એસિડ મળી આવે છે, જે મુખ્યત્વે કેન્સરને જન્મ આપનાર કોષોને ખતમ કરવામાં મદદ કરે છે.
આંખો માટે પણ ચણા ખૂબ જ ફાયદેમંદ છે, કારણે તેમાં બી-કેરોટીન તત્વ મળી આવે છે. જે મુખ્યત્વે આંખની કોશિકાઓને નુક્સાન પહોંચવાથી બચાવે છે.
પલાળેલા ચણા દરરોજ ખાવાથી તમને ચણામાં રહેલ આયરનની પ્રાપ્તિ થતી રહેશે. આયરન તમારા શરીરમાં લોહીનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરશે.
પલાળેલા ચણામાં વિટામિન-એ, બી અને વિટામિન-ઈ મળી આવે ઠે. જે વાળને સ્વસ્થ રાખે છે અને તેને મજબૂત બનાવી રાખે છે.