સવારે પલાળેલા દેશી ચણા ખાવાથી થતાં ફાયદા જાણીને ચોંકશો


By Sanket M Parekh01, Jul 2023 04:12 PMgujaratijagran.com

બ્લડ સુગર કંટ્રોલ કરશે

દેશી ચણા ફાઈબર તેમજ પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. દરરોજ સવારે કાળા ચણા ખાવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

પાચન સુધારશે

પલાળેલા ચણામાં ફાઈબર મળી આવે છે, જે પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. જેથી તમારે પેટ સાથે સંકળાયેલી સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

વજન કંટ્રોલ કરે

ચણામાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ મળી આવે છે. એવામાં તેના સેવનથી તમને ભૂખ ઓછી લાગે છે અને વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

કેન્સરનું રિસ્ક ઘટાડે

ચણામાં બ્યૂટિરેટ નામનું ફેટી એસિડ મળી આવે છે, જે મુખ્યત્વે કેન્સરને જન્મ આપનાર કોષોને ખતમ કરવામાં મદદ કરે છે.

આંખો માટે ચણા લાભદાયી

આંખો માટે પણ ચણા ખૂબ જ ફાયદેમંદ છે, કારણે તેમાં બી-કેરોટીન તત્વ મળી આવે છે. જે મુખ્યત્વે આંખની કોશિકાઓને નુક્સાન પહોંચવાથી બચાવે છે.

લોહીની ઉણપ દૂર કરે

પલાળેલા ચણા દરરોજ ખાવાથી તમને ચણામાં રહેલ આયરનની પ્રાપ્તિ થતી રહેશે. આયરન તમારા શરીરમાં લોહીનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરશે.

વાળ માટે

પલાળેલા ચણામાં વિટામિન-એ, બી અને વિટામિન-ઈ મળી આવે ઠે. જે વાળને સ્વસ્થ રાખે છે અને તેને મજબૂત બનાવી રાખે છે.

નબળાઈ દૂર કરીને વજન વધારવા અજમાવો આ ઘરગથ્થુ ઉપાય, થોડા દિવસમાં ફર્ક દેખાશે