ઠંડીમાં તલ અને ગોળના લાડુ ખાવાના ફાયદા


By Hariom Sharma24, Oct 2023 02:02 PMgujaratijagran.com

સ્વસ્થ રહેવા માટે તમારે પોષણથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઇએ. તલ અને ગોળમાં જરૂરી પોષણ તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. જાણો ઠંડીમાં ખાવાના ફાયદા વિશે.

તલના પોષકતત્ત્વો

- વિટામિન ઈ - ફાયબર - કેલ્શિયમ - પ્રોટીન - કોપર

ગોળના પોષકતત્ત્વો

- કાર્બોહાઇડ્રેટ્સ - કેલ્શિયમ - પોટેશિયમ - મેગનેશિયમ - કેલેરી

મજબૂત હાડકા માટે

તલ અને લાડુનું સેવન કરવાથી હાડકાને મજબૂતી મળે છે. આ કેલ્શિયમના ગુણોથી ભરપૂર હોય છે. તમે રોજ એક લાડુનું સેવન કરી શકો છો.

ઈમ્યૂનિટી વધારે

ઠંડીમાં શરીરની ઈમ્યૂનિટી વધારવા માટે તલ અને ગોળા લાડુ ખાવ. આનાથી તમે જલદી બીમાર નહીં પડો.

એનીમિયાથી બચાવે

તલ અને ગોળના લાડુ ખાવાથી શરીરનેમાં લોહીની ઉણપ રહેતી નથી. આ આયર્નના ગુણોથી ભરપૂર હોય છે. આ શરીરમાં લાલ રક્ત કોશિકાઓને વધારવામાં મદદ કરે છે.

તણાવથી રાહત

જો તમે સફેદ તલ અને ગોળના લાડુ ખાવ છો તો, તમને સ્ટ્રેસથી રાહત મળી શકે છે. આમાં એન્ટિઓક્સિડેન્ટ્સના ગુણો ભરપૂર માત્રામાં હોય છે.

પાચન સુધારે

તલ- ગોળના લાડુમાં ફાયબરના ગુણો હોય છે, જે તમારા પાચન તંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે. સાથે જ તેનું સેવન કરવાથી પેટની સમસ્યા પણ દૂર થાય છે.

હાર્ટ એટેક મોટે ભાગે સવારના સમયે જ કેમ આવે છે? જાણી લો તેના પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે