દરરોજ 40 ગ્રામ પનીર ખાવાથી દૂર થાય છે અનેક સમસ્યા, ફાયદા જાણીને ચોંકશો તમે


By Sanket M Parekh04, Aug 2023 04:53 PMgujaratijagran.com

ઈમ્યૂન પાવર વધારે

પનીરમાં અનેક એવા પોષક તત્વો હોય છે, જે શરીરની ઈમ્યૂન પાવરને વધારવામાં મદદ કરે છે. 40 ગ્રામ પનીરમાં રહેલ પ્રોટીન, કેલ્શિયમ જે ઈમ્યૂન પાવરને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.

ગ્લોઈંગ સ્કિન

જો તમે દરરોજ 40 ગ્રામ પનીરનું સેવન કરશો, તો તેનાથી ચહેરા પર ગ્લો લાવી શકાય છે.

અનિંદ્રા માટે

40 ગ્રામ પનીરને રાતે ડિનરમાં ખાવાથી અનિંદ્રામાં રાહત મળી શકે છે. જેનાથી ગાઢ ઊંઘ આવવામાં મદદ મળશે. કાચુ પનીર ખાવાથી શરીરમાં હેપ્પી હોર્મોન રિલીઝ થાય છે.

હાડકા માટે ફાયદેમંદ

હાડકાને મજબૂત રાખવા માટે કેલ્શિયમ અને વિટામિન-ડીની જરૂર પડે છે. દરરોજ 40 ગ્રામ પનીર ખાવાથી શરીરને આ બન્ને તત્વો પુષ્કળ પ્રમાણમાં મળે છે. જેથી હાડકા મજબૂત બને છે.

ભારતમાં મોંઘવારીનું જોખમ, નાણાં મંત્રાલયે રજૂ કર્યો આર્થિક સમીક્ષા અહેવાલ