પ્રાચીન સમયથી ભારતીય ઘરોમાં જમ્યા પછી ગોળ ખાવાની પરંપરા છે, તમે તમારા દાદા-દાદીને પણ જ્મ્યા પછી ગોળ ખાતા જોયા હશે અને તમને પણ આમ કરવાની સલાહ આપી હશે. આવો જાણીએ શા માટે તમારે જમ્યા પછી ગોળ ખાવાનું આટલું મહત્વ છે
ગોળ પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે, જે ખોરાકને વધુ અસરકારક રીતે પચાવવામાં મદદ કરે છે. આ સિવાય તે બ્લોટીંગ અને અપચો જેવી સમસ્યાઓથી બચાવે છે
ગોળમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલનો સામનો કરે છે, અને ક્રોનીક તણાવ ઘટાડવામાં મદદ કરે છે
ગોળ આયર્નથી ભરપૂર હોય છે જેનું સેવન કરવાથી તમે હિમોગ્લોબિનનું સ્તર વધારી શકો છો
ગોળના પ્રાકૃતિક ઉત્સેચર ગુણો કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. તે આંતરડાની સ્વાસ્થ્યને સારુ કરે છે
ગોળ એક જટિલ કાર્બોહાઇડ્રેટ હોવાથી તે શરીરમાં ઊર્જાનો સંચય કરે છે.
ગોળમાં જરૂરી ખનિજો અને વિટામિન્સથી રહેલા હોય છે જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે શરદી અને ફ્લૂ જેવી સામાન્ય બીમારીઓ સામે લડવામાં મદદ કરી શકે છે.
ગોળ લાળને દૂર કરીને શ્વસન માર્ગને સાફ કરવામાં મદદ કરવામાં મદદ કરે છે. માટે તે અસ્થમા અને બ્રોન્કાઇટિસના રોગ માટે તે ખાસ કરીને ફાયદાકારક હોઈ શકે છે,
ગોળમાં રહેલા પોષક તત્ત્વો, જેવા કે એન્ટીઓક્સીડેન્ટ અને ગ્લાયકોલિક એસિડ ત્વચાની તંદુરસ્તી સુધારે છે. નિયમિત ગોળ ખાવાથી ત્વચા સ્પષ્ટ અને વધુ ગ્લોઈંગ બને છે