ખાંસી તાવને ભગાવો , આજે જ અપનાવો આ આર્યુવેદિક ઉપાયો


By Prince Solanki08, Jan 2024 04:40 PMgujaratijagran.com

ખાંસી તાવ

ઠંડીમા લોકો ખાંસી તાવ જેવી સમસ્યાઓનો સામનો વધુ કરતા હોય છે. એવામા લોકોને શ્વાસ લેવામા તકલીફ, નાક બંધ થવુ, ગળામા દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. તમે કેટલાક આર્યુવેદિક ઉપાયોની મદદથી ખાંસી તાવ જેવી સમસ્યાઓમા રાહત મેળવી શકો છો. ચલો જાણીએ.

હળદર વાળુ દૂધ પીઓ

હળદરમા એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. એવામા દૂધમા હળદર નાખીને પીઓ.

મીઠા વાળા પાણીના કોગળા કરો

એક ગ્લાસ પાણીમા થોડુ મીઠુ નાખીને તેના કોગળા કરવાથી ગળામા દુખાવો અને ચેપ દૂર થાય છે.

મધ અને આદુ

આદુના રસ અને મધને મિક્સ કરીને સેવન કરવાથી શરદી ખાંસી તથા તાવ જેવી સમસ્યા દૂર થાય છે. તેમા એંટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.

તુલસીની ચા પીઓ

એક કપ પાણીમા 6 પત્તા તુલસીના, નાના ટુકડા આદુના, એક ચપટી તજનો પાઉડર અને કાલી મિર્ચ નાખીને તેને ઉકાળો. ત્યારબાદ તેમા મધ ઉમેરીને સેવન કરો.

નાસ લો

એક કપડાથી ચહેરાને પૂરી રીતે ઢાંકીને ગરમ પાણીથી નાસ લો. આમ કરવાથી બંધ નાક ખુલી જાય છે. આ ઉપરાંત ગળાની ખરાશ દૂર થાય છે.

લસણ અને મધ

લસણમા એંટી વાઈરલ ગુણ હોય છે. લસણની 2-3 કળીઓને તવામા બાફીલો અને તેને મધ સાથે સેવન કરો.

કાવો પીઓ

અળધી ચમચ હળદર, નાની ચમચી સોંઠ પાઉડર, 1 ચમચી કાલી મિર્ચને પાણીમા ઉકાળો. ત્યારબાદ 1 નાની ચમચી મધ ઉમેરીને પીઓ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

કલોંજી અને નારિયેળ તેલને વાળમા લગાવવાથી મળે છે અનેક ફાયદા