આ 5 વસ્તુઓના સેવન બાદ તરત પાણી પીવાનુ ટાળો


By Prince Solanki01, Jan 2024 06:48 PMgujaratijagran.com

પાણી

શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણી પીવુ ખૂબ જ જરુરી છે પણ ખોટા સમયે પાણી પીવુ શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

જમ્યા પછી પાણી

સામાન્ય રીતે લોકો જમ્યા બાદ તરત થોડુ પાણી પીતા હોય છે, જેથી મોંમા કોઈપણ પ્રકારનો સ્વાદ ન આવે અને જમવાનુ દાંતમા ફસાયેલુ નીકળી જાય.

આ વસ્તુઓ સાથે ન પીઓ પાણી

એવી ઘણી વસ્તુઓ છે જેનુ સેવન આપણે રોજ કરીએ છીએ, પરંતુ આ વસ્તુઓના સેવન બાદ તરત જ પાણી પીવુ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. કેટલીક વસ્તુઓના સેવન પછી તરત જ પાણી પીવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે.

ખાટા ફળ

ખાટા ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ ખાટા ફળના સેવન પછી તરત જ પાણી પીવાથી અપચાની સમસ્યા થઈ શકે છે.

કેળા

કેળાના સેવન પછી લગભગ 30 મિનિટ બાદ જ પાણી પીવુ જોઈએ. કેળાના સેવન બાદ તરત જ પાણી પીવાથી પેટ સંબધિત સમસ્યા થઈ શકે છે.

મગફળી

મગફળીના સેવન પછી શરીરમા ગરમી આવે છે. મગફળીના સેવન બાદ તરત જ પાણી પીવાથી પેટમા ગેસની સમસ્યા થઈ શકે છે.

તરબૂચ

જે લોકો તરબૂચ ખાવાનુ પસંદ કરે છે તે લોકોએ તરબૂચના સેવન પછી પાણી ન પીવુ જોઈએ. તરબૂચના સેવન પછી તરત જ પાણી પીવાથી પાચનતંત્ર પર ખરાબ અસર થાય છે.

દૂધ

દૂધનુ સેવન લોકો રોજ કરતા હોય છે, પરંતુ દૂધને પીધા બાદ તરત જ પાણી પીવામા આવે તો પાચન સંબધિત સમસ્યાઓ થવાનુ જોખમ વધી જાય છે.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

દુબળાપણુ થશે દૂર, કરો આ વસ્તુઓનુ સેવન