બાળકોને અશ્વગંધા ખવડાવવી તેમના માનસિક વિકાસમાં મદદરૂપ સાબિત થાય છે. જેનાથી મળનારા પોષક તત્વો બ્રેઈન ફંક્શનને એક્ટિવ રાખવામાં મદદ કરી શકે છે.
હંમેશા બાળકો ખાવામાં નખરા કરતા હોય છે, જેનાથી તેમનામાં નબળાઈ આવી શકે છે. એવામાં બાળકોને અશ્વગંધા મિક્સ્ડ દૂધ પીવડાવવું જોઈએ. જેનાથી બાળકોમાં લાંબા સમય સુધી એનર્જી જળવાઈ રહે છે.
અશ્વગંધામાં એવા અનેક એન્ટી ઑક્સિડેન્ટ ગુણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે બાળકોને થતી ગેસ, કબજિયાત સહિત પેટ સાથે સંકળાયેલી અન્ય સમસ્યાઓમાં બેસ્ટ સાબિત થઈ શકે છે.
જો તમારા બાળકનું વજન ઓછું હોય, તો તમને તેને મખાના ખવડાવી શકો છે. જેમાંથી મળનારા પોષક તત્વો બાળકોની ભૂખને વધારીને વજન વધારવામાં અસરકારક નીવડી શકે છે.
અશ્વગંધા કેલ્શિયમ અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, જે બાળકોના હાડકા મજબૂત બનાવે છે. જેના સેવનથી બાળકોને હાડકા સાથે સંકળાયેલી બીમારીઓની આશંકા ઓછી થઈ શકે છે.