અશ્વગંધાથી પેટની ચરબી, તણાવ સહિત ક્યાં આરોગ્ય લાભો મળે છે


By Jivan Kapuriya06, Aug 2023 05:59 PMgujaratijagran.com

બ્લડ સુગર લેવલ ઘટાડે

કેટલાક અભ્યાસો સૂચવે છે કે અશ્વગંધા લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડી શકે છે કારણ કે તે ઇન્સ્યુલિનના સ્ત્રાવ અને કોષોની રક્ત પ્રવાહમાંથી ગ્લુકોઝને શાષવાની ક્ષમતા પર અસર કરે છે.

ચરબી ઘટાડે

અશ્વગંધામાં રહેલ એન્ટીઓક્સિડન્ટો તમને મેટાબાલિઝમ વધારવામાં મદદ કરે છે, જેના પરિણામે ચરબી ઘટે છે અને ત્યારબાદ વજન ઘટે છે.

શારીરિક કસરત

આયુર્વેદિક ઔષધિ એથ્લેટ્સ અને તંદુરસ્ત પુખ્ત વયના લોકોમાં શારીરિક પ્રદર્શનના માપદંડોને પણ વેગ આપે છે, જેમાં VO2 મહત્તમ અને શક્તિનો સમાવેશ થાય છે.

તણાવ અને ચિંતા દૂર કરે

અશ્વગંધા તણાવ અને ચિંતાને દૂર કરવામાં અસરકારક છે. પ્રારંભિક સંશોધન દર્શાવે છે. તેને એડપ્ટોજેન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, એક પદાર્થ જે શરીરને તણાવનો સામનો કરવામાં મદદ કરે છે.

પ્રજનન ક્ષમતા વધારે

કેટલાક અભ્યાસોએ એ પણ દર્શાવ્યું છે કે અશ્વગંધા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારે છે, જેનાથી પ્રજનન ક્ષમતા વધે છે.

ઊંઘ સારી આવે

અશ્વગંધાના તણાવ મુક્ત ગુણધર્મો તમને નર્વસ સિસ્ટમને શાંત કરીને વધુ સારી રીતે ઊંઘવામાં પણ મદદ કરે છે.

યાદશક્તિ વધારે

અશ્વગંધા યાદશક્તિ,પ્રતિક્રિયા સમય અને કેટલાક લોકોમાં પ્રદર્શન કરવાની ક્ષમતાને સુધારવા માટે દર્શાવવામાં આવ્યા છે. જો કે વધુ સંશોધનની જરૂર છે.

સંધિવાની પીડા દૂર કરે

અશ્વગંધામાં સંધિવા વિરોધી ગુણ હોય છે અને તે નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ કરી શકે છે, જેનાથી દુખાવો ઓછો થાય છે. તે ગંભીર પીડા અને અપંગતા ઘટાડવાની ક્ષમતા ધરાવે છે.

ટામેટાના આ 9 સ્વાસ્થ્ય લાભો કદાચ તમને કોઈએ નહીં જણાવ્યા હોય