અદાણી ગ્રુપના બજાર મૂડીકરણમાં રૂપિયા 45,200 કરોડનો વધારો થયો


By Nileshkumar Zinzuwadiya19, Aug 2023 04:06 PMgujaratijagran.com

રૂપિયા 45,200 કરોડનો ઉમેરો

અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વડપણ હેઠળ કંપનીઓના બજાર મૂડીકરણમાં શુક્રવારે રૂપિયા 45,200 કરોડનો ઉમેરો થયો હતો

10 લિસ્ટેડ કંપની

વૈશ્વિક રોકાણકારોએ વિશ્વાસ વ્યક્ત કરતા ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીના શેરમાં તેજી આવી હતી. આ સાથે ગ્રુપનું બજાર મૂડીકરણ વધીને રૂપિયા 10.96 લાખ કરોડ થઈ ગયું છે.

પાર્ટનર્સ અને કતાર ઈન્વેસ્ટમેન્ટનું રોકાણ

છેલ્લા કેટલાક દિવસોથી અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં એકંદરે મજબૂતી જોવા મળી રહી છે. GQG પાર્ટનર્સ અને કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા અધિગ્રહણને સકારાત્મક રીતે જોવામાં આવે છે.

આ શેરોમાં જોવા મળી તેજી

અદાણી પાવર 6.34 ટકા, અદાણી ગ્રીન એનર્જી 6.7 ટકા અને અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં છ ટકાનો વધારો થયો છે. જ્યારે અદાણી એન્ટરપ્રાઈસિસના શેર 3.93 ટકા વધ્યા છે.

જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર, PM મોદીએ કરી પ્રશંસા