આચાર્ય ચાણક્યને રાજકારણ, અર્થશાસ્ત્ર, યુદ્ધ રણનીતિ, જ્યોતિષ અને વેદોનું જ્ઞાન હતું. તેમણે ચાણક્ય નીતિ નામનું એક પુસ્તક પણ લખ્યું છે.
ચાણક્યએ તેમના નીતિ શાસ્ત્રમાં શિક્ષણ, રાજકારણ અને જીવનને લગતા ઘણા વિષયોનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે આચાર્ય ચાણક્યએ એવી વ્યક્તિનો પણ ઉલ્લેખ કર્યો છે કે જેમની સાથે હંમેશા અંતર રાખવું જોઈએ.
ચાણક્ય નીતિ અનુસાર, ક્યા લોકોથી તમારે અંતર રાખવું જોઈએ, ચાલો જાણીએ તેના વિશે.
પરસ્પરસ્ય મર્માણી યે ભાષન્તે નરાધમા:| ત એવં વિલયં યાન્તિ વલ્મીકોદરસર્પવરત્ ||
આચાર્ય ચાણક્યના આ શ્લોકનો અર્થ એ છે કે જે લોકો મિત્રોનું અપમાન કરવાનું અને તેમના રહસ્યો જાહેર કરવાનું વિચારે છે...તે સાપની જેમ કિચડમાં ફસાઈ જાય છે તે રીતે નાશ પામે છે.
તેથી જીવનમાં આવા લોકોથી હંમેશા અંતર રાખવું જોઈએ.