મહાશિવરાત્રીના તહેવાર પર ભગવાન શિવના ભક્તો ભારે ઉત્સાહથી ઉજવે છે, ગુજરાતના અનેક શિવ મંદિરો આ ખાસ પ્રસંગને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં ભગવાન શિવને મહાદેવ, ભોલેનાથ, શંકર અને વિનાશક વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.
આજે અમે તમને મહાશિવરાત્રી પર ગુજરાતમાં આવેલા પ્રખ્યાત શિવ મંદિરો વિશે જણાવીશું, તમે અહીં મહાશિવરાત્રીપર ચોક્કસ મુલાકાત કરી શકો છો.
સૌથી પવિત્ર શિવ મંદિરોમાંનું એક સોમનાથ મહાદેવ મંદિર છે. જે અરબી સમુદ્ર અને સોમનાથ બીચ પાસે આવેલ છે.
પાંચ હજાર વર્ષ પહેલાં દ્વારકા નજીક અરબી સમુદ્રમાં એક શિવલિંગ પ્રગટ થયું હતું, જેને શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
બાર જ્યોતિર્લિંગ પૈકીનું દ્વારકા ખાતે આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર છે, જ્યાં ભગવાન શિવના ગળામાં સાપવાળી વિશાળ મૂર્તી છે.
આ પ્રાચીન હિન્દુ મંદિર પૈકીનું એક શિવ મંદિર જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલું છે.
રાવણને ભગવાન શિવ તરફથી મહાન આધ્યાત્મિક શક્તિના શિવલિંગનું વરદાન મળ્યું હતું, કારણ કે તે ધર્મનિષ્ઠ હતો. પરંતુ રાવણનો ઘમંડ કોટેશ્વર ખાતે જમીન પર પડી ગયો, જે બાદ કોટેશ્વર મંદિર બનાવવામાં આવ્યું હોવાનો મહિમા છે.
પ્રાચીન મંદિરો પૈકીનું એક ત્રિનેત્રેશ્વર મંદિર સુરેન્દ્રનગર જીલ્લાના થાન નજીક આવેલ પ્રખ્યાત તરણેતર મેળાના પટાંગણ આલેવ આ મંદિરમાં 2 શિવલિંગ છે.
ભાવનગરના દરિયા કિનારે આવેલ આ મંદિર 5 અલગ સ્વયંભૂ શિવલિંગ છે. ભરતી દરમિયાન આ મૂર્તિ ડૂબી જાય છે.
ગળતેશ્વર મહાદેવ મંદિર ખેડા જિલ્લાના સરનાલ ગામ નજીક ગળતા અને મહી નદીઓના સંગમ પર આવેલું છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.