Pomegranate Side Effects: આ 7 લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ દાડમ


By Sanket M Parekh02, Sep 2025 03:51 PMgujaratijagran.com

સુપરફૂડ દાડમ

સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ દાડમને સુપરફૂડ કહેવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો માટે તે નુકસાનકારક નીવડી શકે છે.તો ચાલો કેવા લોકોએ દાડમ ના ખાવી જોઈએ.

લો બ્લડપ્રેશર

બ્લડ પ્રેશરની સમસ્યા હોય, તો તેવા લોકોએ દાડમ ના ખાવી જોઈએ. દાડમ બ્લડ પ્રેશરને વધુ ઘટાડી શકે છે, જેના કારણે ચક્કર અથવા નબળાઈ આવી શકે છે.

એલર્જી

કેટલાક લોકોને દાડમથી એલર્જી થઈ શકે છે. જેના લક્ષણોમાં ખંજવાળ, સોજો અથવા શ્વાસ લેવામાં તકલીફ સામેલ છે.

ડાયાબિટીસના દર્દી

ડાયાબિટીસના દર્દીઓએ વધારે દાડમ ના ખાવી જોઈએ, કારણ કે દાડમ બ્લડ સુગર લેવલ એકાએક વધારે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે.

બ્લડ થીનર દવા લેતા હોવ તો

જે લોકો લોહી પાતળું કરવાની અર્થાત બ્લડ થીનર દવા લેતા હોય, તો તેમના માટે પણ દાડમ ખાવી સ્વાસ્થ્ય માટે ખતરનાક નીવડી શકે છે.

પ્રેગ્નેન્ટ સ્ત્રી

સગર્ભા સ્ત્રીઓ માટે ઓછી માત્રામાં દાડમ યોગ્ય છે, પરંતુ વધુ પડતું સેવન તેમના માટે જોખમ વધારી શકે છે.

સર્જરી કરાવનારા લોકો

જો તમારી કોઈ સર્જરી થવાની હોય, તો સર્જરી પહેલાં દાડમનું સેવન લોહી જામવાની પ્રક્રિયાને અસર કરી શકે છે.

ગેસ્ટ્રિક સમસ્યા હોય તો

જો તમે ગેસ્ટ્રિકની સમસ્યાથી પરેશાન છો, તો તમારા માટે દાડમ હાનિકારક હોઈ શકે છે અને તે પાચનમાં તકલીફ ઊભી કરી શકે છે

Kidney Cancer Signs: કિડની કેન્સર સાથે સંકળાયેલા આ સંકેતોને ના કરશો નજરઅંદાજ