રાત્રે ખોરાક ખાધા પછી ઘણી વખત હાર્ટબર્નની સમસ્યા થતી હોય છે. જેના કેટલાક મુખ્ય કારણો વિશે આજે વિગતવાર જાણીશું.
જો તમને રાત્રે મોડેથી ખાવાની આદત હોય, તો તેનાથી હાર્ટબર્ન થઈ શકે છે.
ઘણા લોકો ઘણીવાર ખાધા પછી તરત જ સૂઈ જાય છે. જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને હાર્ટબર્ન થઈ શકે છે.
જો તમને વધુ પડતી ચા અને કોફી પીવાની આદત હોય, તો તેનાથી હાર્ટબર્ન થવાની શક્યતા વધી જાય છે.
ઘણા લોકોમાં ખોરાક પચતી વખતે પેટમાં વધારાનો એસિડ ઉત્પન્ન થાય છે, જે હાર્ટબર્નનું કારણ બની શકે છે.
જો તમારું વજન ઝડપથી વધ્યું હોય, તો આનાથી તમને ખાધા પછી હાર્ટબર્નની સમસ્યા થઈ શકે છે.
જો તમને વારંવાર હાર્ટબર્નનો અનુભવ થતો હોય, તો આ વિષય પર એકવાર ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.