આ સંકેતોને ક્યારેય અવગણશો નહિ, બની શકે છે અશુભ ઘટના


By Kajal Chauhan02, Jul 2025 04:37 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્રમાં કેટલીક બાબતોને શુભ અને અશુભ બંને માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અશુભ વસ્તુઓ વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. ચાલો જાણીએ કે કયા 3 સંકેતોને અવગણવા જોઈએ નહીં.

ખરાબ સમય

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે. જે ખરાબ સમયના આગમન પહેલા ચેતવણી આપે છે. જો આ સંકેતોને યોગ્ય સમયે સમજી લેવામાં આવે, તો તમે અનિચ્છનીય ઘટનાઓથી બચી શકો છો.

કૂતરાનું રડવું

વાસ્તુ અનુસાર જો રાત્રે અથવા સાંજે કૂતરાના રડવાનો અવાજ સંભળાય છે, તો તે કંઈક ખરાબ થવાનો સંકેત હોઈ શકે છે.

દૂધ ઢોળાઈ જવું

જો હાથમાંથી વારંવાર દૂધ જમીન પર ઢોળાઈ જાય છે તો તે ઘરમાં વિવાદ અથવા કષ્ટનો સંકેત માનવામાં આવે છે.

ઘરેણાં ખોવાઈ જવા

એવું માનવામાં આવે છે કે જો તમારા સોનાના કે ચાંદીના ઘરેણાં ખોવાઈ જાય છે, તો તે કોઈ મોટી આફત આવવાનો સંકેત હોઈ શકે છે.

આંખ ફરકવી

પુરુષોની ડાબી આંખ અને સ્ત્રીઓની જમણી આંખ ફરકવી એ અશુભ માનવામાં આવે છે. તે કંઈક અશુભ ઘટના બનવાનો સંકેત હોઈ શકે છે.

Vastu Shastra: શું પૂર્વજોની તસવીરની પૂજા કરવી જોઈએ?