ઘણા લોકો એવા હોય છે, જે પોતાના પૂર્વજો અર્થાત પિતૃઓની ફોટા ઘરે રાખે છે અથવા મંદિરમાં રાખે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે પૂર્વજોના ફોટાની પૂજા કરવી જોઈએ કે નહીં?
ચાલો તમને જણાવી દઈએ કે ઘરના પૂર્વજોને દેવતાઓ સમાન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમની પૂજા કરવાથી અથવા તેમના ફોટા ઘરના મંદિરમાં રાખવાથી દેવતાઓ નારાજ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં પૂર્વજોના ફોટા રાખીને તેમની પૂજા કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જીનો સંચાર થાય છે.
જો તમે તમારા ઘરમાં તમારા પૂર્વજોની તસવીરો લગાવી રહ્યા છો, તો તેને હંમેશા દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી યોગ્ય માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, આપણે ક્યારેય ઘરમાં એક કરતાં વધુ પૂર્વજોના ફોટા ના રાખવા જોઈએ. આનાથી જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવે છે.
વાસ્તુ શાસ્ત્ર કહે છે કે,પણે ક્યારેય પણ જીવંત વ્યક્તિના ફોટોગ્રાફ સાથે આપણા પૂર્વજોની તસવીર ના મૂકવી જોઈએ.
એવું માનવામાં આવે છે કે, આપણે ક્યારેય આપણા પૂર્વજોની તસવીર ઘરના મંદિરમાં ના રાખવી જોઈએ. આ સ્થળ દેવી-દેવતાઓને સમર્પિત માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, એવું કહેવામાં આવે છે કે, પૂર્વજોના ફોટાની પૂજા કરવા માટે આપણે ફક્ત માળા જ અર્પણ કરવી જોઈએ. ઘર કે મંદિરમાં તેમની ક્યારેય પૂજા ના કરવી જોઈએ.