Vastu Shastra: શું પૂર્વજોની તસવીરની પૂજા કરવી જોઈએ?


By Sanket M Parekh02, Jul 2025 03:36 PMgujaratijagran.com

પિતૃઓના ફોટાની પૂજા

ઘણા લોકો એવા હોય છે, જે પોતાના પૂર્વજો અર્થાત પિતૃઓની ફોટા ઘરે રાખે છે અથવા મંદિરમાં રાખે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે પૂર્વજોના ફોટાની પૂજા કરવી જોઈએ કે નહીં?

પૂર્વજો દેવતા સમાન

ચાલો તમને જણાવી દઈએ કે ઘરના પૂર્વજોને દેવતાઓ સમાન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમની પૂજા કરવાથી અથવા તેમના ફોટા ઘરના મંદિરમાં રાખવાથી દેવતાઓ નારાજ થઈ શકે છે.

નેગેટિવ એનર્જીનો સંચાર

તમને જણાવી દઈએ કે, એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં પૂર્વજોના ફોટા રાખીને તેમની પૂજા કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જીનો સંચાર થાય છે.

દક્ષિણ-પશ્ચિમ દિશા

જો તમે તમારા ઘરમાં તમારા પૂર્વજોની તસવીરો લગાવી રહ્યા છો, તો તેને હંમેશા દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી યોગ્ય માનવામાં આવે છે.

એક કરતાં વધુ પૂર્વજોના ફોટા

એવું માનવામાં આવે છે કે, આપણે ક્યારેય ઘરમાં એક કરતાં વધુ પૂર્વજોના ફોટા ના રાખવા જોઈએ. આનાથી જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવે છે.

જીવંત વ્યક્તિની તસવીર

વાસ્તુ શાસ્ત્ર કહે છે કે,પણે ક્યારેય પણ જીવંત વ્યક્તિના ફોટોગ્રાફ સાથે આપણા પૂર્વજોની તસવીર ના મૂકવી જોઈએ.

ઘરના મંદિરમાં ના રાખો

એવું માનવામાં આવે છે કે, આપણે ક્યારેય આપણા પૂર્વજોની તસવીર ઘરના મંદિરમાં ના રાખવી જોઈએ. આ સ્થળ દેવી-દેવતાઓને સમર્પિત માનવામાં આવે છે.

પૂર્વજોના ફોટાની પૂજા

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, એવું કહેવામાં આવે છે કે, પૂર્વજોના ફોટાની પૂજા કરવા માટે આપણે ફક્ત માળા જ અર્પણ કરવી જોઈએ. ઘર કે મંદિરમાં તેમની ક્યારેય પૂજા ના કરવી જોઈએ.

પંડિત અને બ્રાહ્મણ વચ્ચે શું તફાવત છે? જાણો