Cheteshwar Pujara PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટથી નિવૃત્તિ લેનાર ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારાની પ્રશંસા કરતા કહ્યું છે કે, તેમણે રમવાની દ્રઢ શૈલી આપણને ટેસ્ટ ક્રિકેટની સુંદરતાની યાદ અપાવે છે. પૂજારાએ ગયા રવિવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી જેનાથી તેમની ક્રિકેટની શાનદાર કારકિર્દીનો અંત આવ્યો.
પુજારાને લખેલા પત્રમાં મોદીએ કહ્યું કે- ક્રિકેટના ટૂંકા ફોર્મેટના પ્રભુત્વવાળા યુગમાં, તમે અમને રમતના લાંબા ફોર્મેટની સુંદરતાની યાદ અપાવી. તમારા અદમ્ય સ્વભાવ અને લાંબા સમય સુધી એકાગ્રતા સાથે બેટિંગ કરવાની ક્ષમતાએ તમને ભારતીય બેટિંગ ઓર્ડરનો આધારસ્તંભ બનાવ્યો. ભારતના પુજારાએ પ્રધાનમંત્રીના આ પત્રની એક નકલ ઇન્ટરનેટ મીડિયા પર પોસ્ટ કરી અને પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે.
I was honoured to receive a letter of appreciation on my retirement from our Honourable Prime Minister. The warm sentiments expressed are much appreciated. While I venture into my second innings, I cherish every memory on the field, and all the love and appreciation I have… pic.twitter.com/s74fIYrboM
— Cheteshwar Pujara (@cheteshwar1) August 31, 2025
પ્રધાનમંત્રીએ એમ પણ લખ્યું કે તમારી ઉત્કૃષ્ટ કારકિર્દી ખાસ કરીને વિદેશમાં પડકારજનક પરિસ્થિતિઓમાં કૌશલ્ય અને દૃઢ નિશ્ચયની ક્ષણોથી ભરેલી છે. ઉદાહરણ તરીકે, રમતપ્રેમીઓ હંમેશા ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જેવા પ્રસંગોને યાદ રાખશે, જ્યારે તમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની પ્રથમ ઐતિહાસિક શ્રેણી જીતનો પાયો નાખ્યો હતો.
