Bhim Agiyaras 2025: એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. દર મહિને બે વાર એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. એકાદશીનું વ્રત રાખવાથી ભક્ત જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. જ્યેષ્ઠ મહિનાના સુદ પક્ષની એકાદશીને નિર્જલા એકાદશી (Nirjala Ekadashi 2025) ને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે, જેની પાછળ એક પૌરાણિક કથા છે. ચાલો જાણીએ તેના વિશે.
ભીમ અગિયારસ (નિર્જલા એકાદશી) ક્યારે છે?
આ પણ વાંચો
જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિ 6 જૂનના રોજ વહેલી સવારે 2.15 વાગ્યે શરૂ થઈ રહી છે. જ્યારે આ તિથિ 7 જૂનના રોજ સવારે 4.47 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ભીમ અગિયારસનું વ્રત 6 જૂન, શુક્રવારના રોજ મનાવવામાં આવશે. જ્યારે વૈષ્ણવ નિર્જલા એકાદશી 7 જૂન, શનિવારના રોજ ઉજવવામાં આવશે.
ભીમ અગિયારસની પૌરાણિક કથા શું છે?
પૌરાણિક કથા અનુસાર, એક વાર વેદ વ્યાસ પાંડવોને એકાદશીનું વ્રત રાખવાનું વચન આપી રહ્યા હતા , ત્યારે ભીમે વેદ વ્યાસજીને વિનંતી કરી કે તમે દર પખવાડિયાની એકાદશીના ઉપવાસની વાત કરી છે. મારા પેટમાં બૃક નામનો અગ્નિ છે, તેથી હું ભુખ્યો નહીં રહી શકું, આ અગ્નિને શાંત રાખવા માટે મારે ભોજન કરવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, હું ભોજન વિના રહી શકતો નથી. આ રીતે હું એકાદશી જેવા પવિત્ર ઉપવાસથી વંચિત રહીશ. કોઈ બીજો ઉપાય જણાવો.
પછી વેદવ્યાસજી ભીમને કહ્યું કે જો તારા માટે દરેક એકાદશી પર ઉપવાસ કરવો શક્ય ન હોય, તો તમારે ફક્ત જેઠ મહિનાના શુક્લ પક્ષમાં નિર્જલા એકાદશી પર ઉપવાસ કરવો જોઈએ. આ વ્રત રાખવાથી, તમને વર્ષની બધી એકાદશીના ઉપવાસ રાખવાનું પુષ્ય મળશે. આ ઉપરાંત આ લોકમાં બધી સુખ સુવિધા ભોગવી તુ મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરીશ. ભીમસેન વિધિ મુજબ નિર્જલા એકાદશીનું વ્રત રાખવા સંમત થયો અને નિર્જળા એકાદશી પર કોઈ ફળ-ફૂલ કે પાણી લીધા વગર વ્રત કર્યું. આ કારણોસર, નિર્જલા એકાદશીને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
